Abtak Media Google News
જય ભારત સાથ જણાવવાનું કે ૧૪ ફેબ્રુઆરી ના રોજ કાશ્મીર ના પુલવામાં જે આંતકી હુમલા માં દેશ ના ૪૨ જવાનો વીરગતિ પ્રાપ્ત થયા,ત્યાર બાદ આજ રાજોરી માં ફરી એક વખત આંતકીઓ ના હુમલા માં સેના ના મેજર વીરગતિ થયા ત્યારે ક્યાં સુધી આવી રીતે સરહદ ઉપર જવાનો નું રક્ત વ્હેવડાવશું??
ક્યાં સુધી મૌન રહીશું??
હવે આ આક્રોશ આજ સૌરાષ્ટ્ર ના હરએક ખેડુત ના હૃદય માં એક વિસ્ફોટક રીતે ભરેલો છે,જો તમે આ જવાનો ની શહાદત નો બદલો ,આંતકીઓ નું રક્ત વ્હેવડાવી ને નહિ બતાવો તો આ દેશ નો હરએક ખેડુત તમને આગામી સમય માં રોવડાશે તેમાં કોઈ બેમત નથી,કેમકે આજ તમે મૌન થઈ ને બેસી રહેશો તો ક્યારેય તમે હવે બોલી શકશો નહીં કારણ કે 2014 માં તમે દેશ ની પ્રજા ને વાયદા કર્યા હતા.
તેમાંથી તમને આજ એક વાયદો યાદ કરાવવા માંગુ છું કે તમેં દેશ ના સંવિધાન માં જે કાશ્મીર માં લગાવેલી કલમ 370 ને હટાવીશું એવુ વચન આપ્યું હતું તે વચન ને તમે યાદ કરો અને તમારી શક્તિ પ્રમાણે આજ તમારી તાકાત નો પરચો બતાવી દયો, આજ તમારી સાથે આખા દેશ ના ખેડૂતો ખભે ખભો મિલાવી ઉભા છે.
બસ તમે કાશ્મીર માંથી 370 ને હટાવવા માટે રાતોરાત સંસદ બોલાવો અને  આજ અમે પણ જોઈએ છીએ કે આ દેશ માં કોણ ગદ્દાર છે કે તમને  370 હટાવવાની ના પાડે છે, આજ હું એક સંગઠન ના કન્વીનર તરીકે અને એક ખેડુત પુત્ર તરીકે વચન આપું છું કે તમારી અને કલમ 370 ને હટાવવા ના મુદ્દે જે કોઈ પક્ષ તમારી વચ્ચે વિરોધ નું વાતાવરણ ઉભું કરશે અથવા 370 ને હટાવવાની ના પાડશે તો તેઓ આજ થી દેશ ના હરએક ખેડુત ના દુશ્મન રહેશે,કારણ કે આ દેશ માત્ર કિસાનો અને જવાનો થી જ ચાલે છે એટલ જે જવાનો નો દુશ્મન એ કિસાનો નો દુશ્મન રહેશે.
એટલે તમો જે ગુજરાત ના મુખ્યમંત્રી બની ને જે તાકાત નો પરચો બતાવતા હતા તે તાકાત ને જગાડો અને જેમ રાતોરાત નોટબંધી અને GST ના ટાટર પાડ્યા એવી જ રીતે કલમ 370 ને હટાવી નાખો અને દેશ ના ઇતિહાસ માં એક નવા સૂરજ નો ઉદય કરો જેથી દેશ નો જવાન આંતકી ઓ નો ધરમૂળથી સફાયો કરી શકે.કહેવાનું તો ઘણું બધું છે પણ આજ માનવધિકાર માટે કલમ 370 ને હટાવવા થી મોટું કાર્ય આ દેશ માં બીજું કંઈ દેખાતું જ નથી,તમે 370 ને હટાવો બાકી કામ આ દેશ ના જવાનો અને કિસાનો જોઈ લેશે…
જય હિન્દ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.