Abtak Media Google News

ધ્રોલના વકીલને પ્રેમ પ્રકરણના કારણે રાજકોટના શાસ્ત્રીનગરમાં પરિણીતાના પતિ સહિત ત્રણ શખ્સોએ લોખંડના સળીયાથી માર માર્યાની અને વકીલ સામે છેડતી અંગેનો પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રોલના ચંદનવાસમાં રહેતા હેમંત ઘેલજી ચાવડા નામના એડવોકેટને રાજકોટના શાસ્ત્રીનગરમાં પ્રકાશ ભગવાનજી પરમાર, માધવજી મુળજી પરમાર અને પિયુશ દામજી કટેશીયાએ લોખંડના સળીયાથી માર મારતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

Advertisement

પિયુશ કટેશીયાની પત્ની મુળ ધ્રોલની વતની છે. અને તેણીના લગ્ન પૂર્વે વકીલ હેમંત ચાવડા સાથે મોબાઇલમાં વાતચીત કરવાના સંબંધ હતા પરંતુ એકાદ વર્ષ પહેલાં તેણીના લગ્ન થઇ જતા જામનગર ખાતે રહેવા જતી રહી હતી. ત્યાં તેમના મકાનનું રિપેરીંગ ચાલતુ હોવાથી રાજકોટના શાસ્ત્રીનગરમાં મોટા ભાઇને ત્યાં આવી હતી. ત્યા તેનો પીછો કરતો હેંમત ચાવડા આવતા માર માર્યો હતો.વકીલ હેમંત ચાવડા સામે સતવારા પરિણીતાએ છેડતી અંગેની ફરિયાદ નોંધાવી હતી. તેમાં લગ્ન પૂર્વેના સંબંધના કારણે હેરાન કરતો હોવાનું અને અવાર નવાર પીછો કરી પોતાની સાથે આવવા દબાણ કરતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. યુનિર્વસિટી પોલીસે વકીલ હેમંત ચાવડા સામે છેડતી અંગેનો જ્યારે પરિણીતાના પતિ સહિત ત્રણ સામે વકીલને માર માર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.