મોરબીની અગ્રણી બેન્ક એવી દેનાબેન્કના એટીએમને નોટબંધીનું ગ્રહણ લાગ્યા બાદ ખુલવા ન પામતા પેંશનરો અને સરકારી કર્મચારીઓને હાલાકીનો ભોગ બનવું પડે છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રાષ્ટ્રીયકૃત દેનાબેંકની શાખાઓમાં અનેક સરકારી કર્મચારી અને પેંશનરો જોડાયેલા છે પરંતુ ખાતેદારોની કમનસબી છે કે પરાબજાર અને ગેંડા સર્કલ નજીક આવેલી દેનાબેન્કની બંને શાખાઓના એટીએમ નોટબંધી બાદથી બંધ હાલતમાં છે. ઉલ્લેખનીય છે કે મોરબી શહેરની મોટાભાગની સરકારી કચેરીઓ અને રેલવેના કર્મચારીઓના ખાતા દેના બેંકમાં હોય એટીએમ બંધ હોવાથી તેમને મુશ્કેલી પડે છે,વધુમાં એટીએમ બંધ હોવાથી ખાતાધારકોને ફરજિયાત પણે ચેક અથવા વિડ્રોલફોર્મથી નાણાં ઉપાડવા પડે છે અને તેમાં પણ ભારે ગિરદી ને કારણે દેનાબેન્કના ખાતેદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ