Abtak Media Google News

મધ હંમેશા રસોડામાં ઉપયોગી થવા વાળો એક સવાદિષ્ટ પદાર્થ છે, સાથેજ પ્રાચીન સમયથી જ આ એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ થાય છે, દુનિયાભરમાં આપણા પૂર્વજો મધના ઘણા લાભોથી સારી રીતે પરિચિત હતા.

એક ઔષધિ તરીકે મધનો ઉપયોગ સૌપ્રથમ સુમેરી માટી ની ટેબ્લેટમાં જોવા મળ્યો હતો જે આશરે 4000 વર્ષ જૂની છે. લગભગ 30 ટકા સુમેરી ચિકિત્સામાં મધનો ઉપયોગ થાય છે.

ભારતમાં મધ સિદ્ધ અને આયુર્વંદિક ચિકિત્સાનો મહત્વપૂર્ણ ભાગ છે. પ્રાચીન સમયમાં મધનો ઉપયોગ ચામડી અને આંખોની બીમારીઓ ના ઉપયોગમાં આવતું જે ઘાવ અને બળતરાના ડાઘો પર કુદરતી બેન્ડેડના સ્વરૂપમાં લગાડવામાં આવતું હતું.

આજકાલ સંશોધકો દ્વારા મધ પર ઘણી વિજ્ઞાનિક શોધ ચાલી રહી છે જે આપણા પૂર્વજો દ્વારા વિચારવામાં આવેલ મધના બધા પ્રયોગોની તાપસ કરીને તેને પુષ્ટિ આપે છે.

ખાંસીમાં મધના ફાયદા :

એક લીંબુ પાણીમાં ઉકાળીને કાચના ગ્લાસમાં નીચવો તેમાં 30 મિલી ગ્લિસરીન અને 90 મિલી મધ ભેળવી એક-એક ચમચી ચાર વખત લેવાથી ખાંસી બંધ થઈ જાય છે.

ઉધરસ અને કફમાં મધના ફાયદા :

12 ગ્રામ મધ દિવસમાં ત્રણ વખત લેવાથી કફ નીકળી જાય છે. કાળા મરી અને મધ મેળવીને પીવાથી ઉધરસ અને કફમાં રાહત રહે છે.

પેટના રોગોમાં મધના ફાયદા :

ઓછી ભૂખ લાગવી, કબજિયાત, અપચો વગેરેને દૂર કરવા માટે ત્રણ ચમચી વાટેલા આંબળા રાતે એક ગ્લાસ પાણીમાં પલાળી લો. સવારે તેને હલાવીને ચાર ચમચી મધ ભેળવીને પીવાથી પેટના આ તમામ રોગ દૂર થાય છે.

થાક :

મધના પ્રયોગથી શક્તિ, સ્ફૂર્તિ અને સ્નાયુને શક્તિ મળે છે. મધનો સૌથી મોટો ગુણ થાક દૂર કરવાનો છે.સાકરથી પાચન અંગો ખરાબ થાય છે, પેટમાં ગેસ ઉત્પન્ન થાય છે પરંતુ મધ ગેસ ઉત્પન્ન થવાથી રોકે છે. રાતે કે જયારે પણ થાક નો અનુભવ થાય ત્યારે બે ચમચી મધ અડધા ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચવી ને પીવો બધો થાક ઉતારી જશે.

હિચકી :

બે ચમચી ડુંગળીના રસમાં બે ચમચી મધ ભેળવી ખાવાથી હિચકી બંધ થઈ જશે. માત્ર મધ લેવાથી પણ હિચકી બંધ થઈ જાય છે.

આંખોમાં મધથી થતા ફાયદા :

આંખોમાં કાજલ ની જેમ સુતા પહેલા મધ લગાડવાથી રતાંધળાપણું દૂર થાય છે અને આંખોની નબળાઈ પણ દૂર થાય છે.

માથાના દુઃખાવામાં મધના ફાયદા :

જો માથાનો દુઃખાવો થતો હોય તો જે બાજુ માથું દુઃખતું હોય તેનાથી વિપરીત બાજુની નાકની નથમાં (Nostrils)માં એક ટીપું મધ નાખી દેવાથી દુઃખાવામાં આરામ મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.