- વારંવાર પેટમાં દુખવુએ જાતજાતના રોગોને આમત્રંણ આપે છે. ઘણા લોકોને દવા લેવાથી થતી આડ અસરનો ભય સતાવતો હોય છે આવામાં આ ઘરગથ્થુ ઉપાયો કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે.
- આદુનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમા થોડી સાકર નાખીને કોઇપણ જાતના પેટનો દુખાવો મટે છે.
- જમ્યા પછી ૨-૩ કલાકે પેટમાં સખત દુખાવો થાય છે ત્યારે તે માટે સુંઠ,તલ અને ગોળ સરખે ભાગે લઇ દૂધમાં નાખી સવાર સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે.
- તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઇ, સહેજ ગરમ કરી, પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
- અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
- લાંબા સમયની આંતરડાની ફરિયાદ માટે ઉકળતા પાણીમાં સુંઠનું ચુર્ણ નાખી તેને ઢાંકી ઠંડુ થયા બાદ ગાળી, તેમાંથી પાંચ ચમચી જેટલુ પીવાથી પેટનો દુ:ખાવો મટે છે.
- આદુનો રસ, લીંબુનો રસ અને મીઠું મેળવીને પીવાથી પાચનક્રિયા શક્તિશાળી બને છે.
Trending
- પોરબંદરથી મધ્યપ્રદેશ જતી ખાનગી બસનો જાખણ પાસે અકસ્માત થતાં 40 મુસાફરો ઈજાગ્રસ્ત
- કયારેય વિચાર્યું છે કે ભારતમાં WhatsApp, Facebook અને Instagram બંધ થઇ જાય તો…???
- પ્રતિબંધિત ચીજ-વસ્તુઓની હેરાફેરી અટકાવવા પાંચ જિલ્લામાં 91 ચેકપોસ્ટ ઉભી કરાઈ
- ચીન સરહદ ઉપર ‘હરામીવેળા’ યથાવત: સૈનિકોની પણ મોટી તૈનાતી
- 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જૂના વાહનો સ્ક્રેપ કરવા અપાશે પ્રોત્સાહન
- સરકાર સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વધુ એક પેકેજ કરશે જાહેર
- નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ
- સુરત : આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ