Abtak Media Google News

Screenshot 4 47 9થી 11 ઓગસ્ટ સુધીમાં અન્ય 101 સ્ટોલ-પ્લોટની હરરાજી કરાશે : પીએમ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હવે મેળાના આયોજન ઉપર અધિકારીઓનું ફોકસ

રેસકોર્ષના મેદાનમાં યોજાનાર રંગીલા રાજકોટવાસીઓના લોકમેળાની તૈયારીઓ હવે તેજ થઈ છે. આગામી સોમવારના રોજ 244 જેટલા સ્ટોલ પ્લોટનો ડ્રો યોજવામાં આવનાર છે. ત્યારબાદ તા.9થી 11 સુધીમાં અન્ય 101 સ્ટોલ-પ્લોટની હરરાજી કરાશે.

લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે તા. 05/09/2023 થી 09/09/2023 દરમિયાન રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. હાલ ચૂંટણીલક્ષી વહીવટી કામગીરી ચાલુ હોય મેળા અન્વયે રમકડા-ખાણીપીણી વગેરેના સ્ટોલ માટે થનાર ડ્રો અને હરરાજીની તારીખમાં ફેરફાર કરીને ડ્રો તા.26 જુલાઈએ રાખવામાં આવ્યો હતો. તેવામાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ આવતા આ તારીખમાં પણ ફરી ફેરફાર કરવામાં આવ્યો હતો.

જે અનુસાર હવે કેટેગરી-બી રમકડાના 178 સ્ટોલ, કેટેગરી-સી ખાણીપીણીના 14 સ્ટોલ,  કેટેગરી-જે મધ્યમ ચકરડીના 4 પ્લોટ, કે-1 કેટેગરીની નાની ચકરડીના 28 પ્લોટ, કે-2 કેટેગરીની નાની ચકરડીના 20 પ્લોટનો ડ્રો તા. 31 જુલાઈના રોજ યોજવામાં આવનાર છે.

આ ઉપરાંત તા.9/8/2023 બુધવારના રોજ કેટેગરી-એ ખાણીપીણી મોટીના પાંચ પ્લોટ માટે સવારે 11:00 કલાકે અને બી1/કોર્નર ખાણીપીણીના 32 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે તથા કેટેગરી-ઈ, એફ, જી-1,જી-2 અને એચ યાંત્રિકના પ્લોટની હરરાજી તા. 10/08/2023 ગુરૂવારના સવારે 11:30 કલાકે અને તા. 11/08/2023 શુક્રવારે કેટેગરી- એકસ આઇસ્ક્રીમના 16 પ્લોટ માટે સવારે 11:30 કલાકે તથા કેટેગરી વાય- ફુડકોર્ટ 3, ઝેડ- ટી કોર્નરના 1 પ્લોટ માટે બપોરે 4:00 કલાકે હરરાજી કરવામાં આવશે. તમામ સ્ટોલ- પ્લોટના ડ્રો અને હરરાજી નાયબ કલેકટર કચેરી, પ્રાંત રાજકોટ (શહેર-1)જૂની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, મીટીંગ રૂમ રાજકોટ ખાતે યોજાશે તેમ અધ્યક્ષ, લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.