Abtak Media Google News

ઠંડીની સીઝનમાં રોગપ્રતિકારક શક્તિ સુધારવી હોય તો આદું, ફુદીનો અને લીલી ચાના ઉકાળાનું સેવન અવશ્ય કરવું એનાથી પાચનશક્તિ સુધરે છે, ભૂખ લાગે છે અને વાયુની તકલીફો તી અટકે છે

ઠંડીની સીઝનમાં સવારે ઊઠીને આદું-ફુદીનો નાખીને બનાવેલી મસાલેદાર ચા માત્ર ઠંડી જ ની ઉડાડતી, શરીરમાં ક્યાંય પણ વાયુ કે પાચનને લગતા પ્રોબ્લેમ્સ હોય તો એને પણ બાય-બાય કરી દે છે. શિયાળાને તબિયત બનાવવાની સીઝન કહેવાય છે, કેમ કે ચોમાસા અને ઉનાળામાં વાતાવરણની અસરને કારણે પાચકાગ્નિ મંદ રહે છે અને એને કારણે પાચનને લગતી સમસ્યાઓ વધારે રહે છે, જ્યારે શિયાળામાં પાચનાગ્નિ તેજ હોવાી પાચનની સમસ્યાઓ ઓછી ાય છે. ચોમાસા અને ઉનાળામાં તબિયત નરમ-ગરમ રહ્યા જ કરતી હોય તો શિયાળો એવી સીઝન છે જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને મસ્ત તબિયત બનાવી શકાય છે.

આપણી લાઇફ-સ્ટાઇલ અને ગરબડ વાને કારણે પાચનની તકલીફો શિયાળામાં પણ પેદા ાય છે. પાચનના સુધાર માટે શિયાળામાં કેટલાક લીલા મસાલાઓ વાપરવા જોઈએ. લીલી ચા, આદું અને ફુદીનો આ ત્રણ ચીજોનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.

હેલ્ધી ઉકાળો

જરૂરી સામગ્રી : બે ગ્લાસ પાણી, મુઠ્ઠીભર લીલી ચા, એક ચમચી વાટેલો ફુદીનો, અડધી ચમચી આદુંનું છીણ, એક ચમચી રસાયણ વિનાનો ગોળ અવા ખડી સાકર.

બનાવવાની રીત :રોજ સવારે ઊઠીને દોઢી બે ગ્લાસ પાણીમાં મુઠ્ઠીભર લીલી ચા સમારીને નાખવી. દોઢ ગ્લાસ જેટલું પાણી રહે એટલે એમાં વાટેલો ફુદીનો અને આદુંની પેસ્ટ ઉમેરવાં. એક ગ્લાસ જેટલું પાણી રહે અને પાણી ઊકળી જાય એટલે એમાં ફુદીનો અને આદુંનો રસ ઉમેરીને ઠરવા દેવું. હૂંફાળું રહે એટલે એમાં એક ચમચી ગોળ અવા ખડી સાકર ઉમેરીને પીવું. આ હર્બલ ડ્રિન્ક રોજ એક-એક ગ્લાસ સવાર-સાંજ લેવામાં આવે તો તબિયતમાં અનેક ફાયદા ાય છે.

લીલી ચાના ગુણ

એની સુગંધ તાજા લીંબુ અને ચાની સુગંધને મળતી આવતી હોવાી એ લેમન ગ્રાસ તરીકે ઓળખાય છે. એમાં પ્રચુર માત્રામાં વિટામિન ઈ અને સિટ્રોનેલા નામનું કેમિકલ રહેલું છે જે ખૂબ ગુણકારી છે.

આદુંના ગુણધર્મો

નાના-નાના છોડનાં જમીનમાં તાં મૂળિયાંની ગાંઠો આદું તરીકે ઓળખાય છે. સૂંઠ કરતાં આદું સૌમ્ય ગણાય છે. એ ઉષ્ણ, આમનાશક, પાચક, વાયુ, ખાંસી, દમ, આફરો અને અરુચિ મટાડનાર ગણાય છે. મોટા ભાગે એ ખાવામાં તેમ જ બહારી લગાડવામાં એમ બન્ને રીતે વપરાય છે.

ફુદીનાના ગુણધર્મો

અરુચિ, અર્જીણ, પેટમાં તો ગેસ, ઊલટી મટાડે છે. પાચનશક્તિ વધારે છે અને મોંનો સ્વાદ સારો રાખે છે. એ કૃમિનાશક પણ ગણાય છે.

ફાયદા શું?

રોગપ્રતિકારક શક્તિ વધારે : તાવ, તો અટકાવે છે. પાચનશક્તિ સુધારે છે, વાયુનું અનુલોમન કરે છે, ભૂખ લગાડે છે, ખાધેલું પચવામાં મદદ કરે છે. શરીરની રોગ સામે રક્ષણશક્તિ વધારે છે.

ફ્લુ :તાવને કારણે માથુ દુખવું, હા-પગ તૂટવા, ઠંડી લાગવી જેવાં ફ્લુનાં લક્ષણો હોય તો એમાં પણ લીલી ચાનો ઉકાળો ખૂબ જ રાહત આપે છે.

ઍન્ટિ-બેક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ: કેટલાક અભ્યાસો પછી લીલી ચાને ઍન્ટિ-બેક્ટેરિયલ અને ઍન્ટિ-ફંગલ ગુણ ધરાવતી ગણવામાં આવી છે.

પાચનતંત્ર મજબૂત કરે છે : લીલી ચાનું પાણી જઠરી લઈને આંતરડાંમાં વહીને પસાર ાય ત્યારે એ આંતરડાંની આભ્યંતર ત્વચાને સાફ કરવામાં અને ઝેરી બેક્ટેરિયાનો નાશ કરીને મળ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે. એનાી પાચનતંત્ર સાફ ાય છે અને ભૂખ લાગે છે.

શરદી અને કફ :રોજિંદી ચામાં લીલી ચાનાં પાન ઉકાળવામાં આવે તો શરદી, તાવ અને કફ તાં અટકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.