Abtak Media Google News

સરપંચ, ફાયર બ્રિગેડ અને જિલ્લા વહીવટી તંત્રની સરાહનીય સમય સૂચક કામગીરી

પાટણવાવના પ્રસિદ્ધ ઓસમ ડુંગર પર ભારે વરસાદને કારણે ફસાયેલા ત્રણ નાગરિકોનું ગામના સરપંચ, ફાયર બ્રિગેડ તથા જિલ્લા વહીવટી તંત્રની સમયસૂચકતાથી રેસ્ક્યુ કરાયું હતું અને ત્રણ અનમોલ માનવ જિંદગીને બચાવાઇ હતી.

જુઓ વિડિયો

https://www.instagram.com/reel/CuFERlfINBR/?igshid=MzRlODBiNWFlZA==

આ અંગેની વિગતો આપતા ધોરાજીના મામલતદાર શ્રી એમ.જી.જાડેજાએ જણાવ્યું હતું કે ઈદની જાહેર રજાને દિવસે ઉપલેટાના ભાવિનગીરી અપારનાથી ઉ.24 અને ક્રિશ્નાબેન ભાવિનગીરી અપારનાથી ઉ.20 તથા પાટણવાવના અરૂણાબેન જયદીપભાઈ અપારનાથી ઉ.23 ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ ડુંગર પર ફરવા ગયા હતા, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે આ ત્રણેય વ્યક્તિઓ ડુંગર પરથી નીચે ઉતરી શકે તેમ નહોતા. આથી તેમણે પાટણવાવના સરપંચશ્રી પ્રવીણભાઈ પેથાણીને બચાવવા માટે ફોન કર્યો હતો. સરપંચ શ્રી પ્રવીણભાઈએ મામલતદારશ્રી એમ.જી. જાડેજાને તાત્કાલિક આ બાબતની જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાઈટર તથા પાટણવાવના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી વી.કે. કોઠીયા તાત્કાલિક ઓસમ ડુંગર પર પહોંચ્યા હતા અને જરૂરી તમામ સાધન સામગ્રીની મદદ લઇ ઉપરોકત તમામને રેસ્કયુ કરેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.