Abtak Media Google News

ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવાય છે. ૧૦ દિવસ ચાલતા આ તહેવારનો પ્રારંભ શનિવારથી થશે. લોકો ઘરે ગણેશ સ્થાપના કરશે. કોરોના મહામારીના કારણે પંડાલોને મંજૂરી આપવામાં આવી નથી ત્યારે ચાલુ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી પણ વર્ચ્યુઅલ થઈ જશે. દુંદાળા દેવની આરાધના માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. ઠેર-ઠેર ગણેશ મુર્તિઓ વેંચાવા લાગી છે. જો કે મહામારીના કારણે મુર્તિનું વેંચાણ ઓછુ હોવાથી મુર્તિકારો સામે મુશ્કેલીઓ ઉભી થઈ છે. નાગર બોર્ડીંગ અને ઉત્સવ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ દુંદાળા દેવની મૂર્તિઓની ખરીદી થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.