ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ તહેવાર દેશભરમાં ધામધુમથી ઉજવાય છે. ૧૦ દિવસ ચાલતા આ તહેવારનો પ્રારંભ શનિવારથી થશે. લોકો ઘરે ગણેશ સ્થાપના કરશે. કોરોના મહામારીના કારણે પંડાલોને મંજૂરી આપવામાં આવી નથી ત્યારે ચાલુ વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી પણ વર્ચ્યુઅલ થઈ જશે. દુંદાળા દેવની આરાધના માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. ઠેર-ઠેર ગણેશ મુર્તિઓ વેંચાવા લાગી છે. જો કે મહામારીના કારણે મુર્તિનું વેંચાણ ઓછુ હોવાથી મુર્તિકારો સામે મુશ્કેલીઓ ઉભી થઈ છે. નાગર બોર્ડીંગ અને ઉત્સવ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ દુંદાળા દેવની મૂર્તિઓની ખરીદી થઈ રહી છે.
Trending
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે
- માંગરોળની જીવાદોરી ઓઝત ડેમમાં પાણી હોવા છતા પાણીના ધાંધીયા
- ચારધામ યાત્રા માટે 15 લાખથી વધુ શ્રઘ્ધાળુઓએ કરાવી નોંધણી
- ઘડિયાળ ઉદ્યોગના કાંટા “ઉંધા” ફરવાના શરૂ
- પાંચ હજાર વર્ષ જૂની કચ્છની અજરખ કળાને મળ્યું જીઆઇ ટેગ
- પ્રાથમિક-માધ્યમિક શિષ્યવૃતિની પરીક્ષામાં 2.80 લાખ વિધાર્થીઓ હાજર રહ્યા
- ‘તારાથી મારી ગાડી કેમ ચેક થાય?’: NSUI પ્રમુખે પોલીસકર્મીને માર માર્યાની ફરિયાદ
- મેડિકલ માલ-સામાનની આડમાં લાવવામાં આવેલો રૂ.16.43 લાખનો દારૂ કબ્જે