Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકામાં અવિશ્ર્વાસના પ્રસ્તાવ માટે આજે યોજાયેલી સામાન્ય સભામાં ભાજપ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર મેન્ડેટનો અનાદર કરવા બદલ 8 સભ્યોને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ભાણવડ નગરપાલિકામાં આજે અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં ભાજપના સભ્યોને જે મેન્ડેટ આપવામાં આવ્યો હતો તેનો 8 સભ્યોએ અનાદર કર્યો હતો. પક્ષના સત્તાવાર મેન્ડેટનો અનાદર કરવા સબબ મધુબેન કાનજીભાઈ વાઘેલા, હર્ષીદાબેન જીગ્નેશભાઈ રાઠોડ, હિનાબેન સુભાષભાઈ કણઝારીયા, જિજ્ઞાબેન હિતેષભાઈ જોષી, કિશોરભાઈ નરશીભાઈ ખાણધર, અલ્તાફભાઈ ઈબ્રાહીમભાઈ બ્લોચ, મંજુબા ઉમેદસિંહ જાડેજા અને સરોજબેન રમેશભાઈ ચાંગેલાને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.