Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક બેઠકો જીતી સતત સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના હોમસ્ટેટ ગુજરાતમાં કમળ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મોદી અને શાહના વાવાઝોડા સામે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીનો રિતસર સફાયો થઇ ગયો છે. ભાજપનાં વિજયને વધાવવા ઉદ્યોગપતિ મૌલેશ પટેલ આજે દ્વારકાધીશને પૂનમની ધજા ચડાવશે .

ભાજપની ભવ્ય જીત થતા તમામ ઉમેદવારો દ્વારા વિજય સરઘસ કાઢીને જીતનો જશ્ન મનાવવામાં આવી  રહ્યો છે. ત્યારે દ્વારકાધીશના પરમભક્ત- બાન લેબ્સનાં માલિક મૌલેશભાઈએ ગુજરાતમાં અને રાજકોટમાં ભાજપનાં વિજયને વધાવ્યો હતો. મૌલેશ ઉકાણીએ રાજકોટનાં ચારેય વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે ભાજપનાં વિજયને વધાવવા ઉદ્યોગપતિ મૌલેશ પટેલ આજે દ્વારકાધીશને પૂનમની ધજા ચડાવશે.

મૌલેશ ઉકાણી દ્વારકાધીશના પરમ ભક્ત છે ત્યારે આજે તેઓ ભાજપના વિજયના વધામણા કરવા દ્વારકા મંદિરે રાત્રીની છેલ્લી ધજા ચડાવશે- જે આખી રાત ફરકતી રહેશે. પ્રખર રાષ્ટ્રવાદી અને દ્વારકાધીશને સમર્પિત મૌલેશ પટેલ દ્વારા ઉમદા અને સ્તુત્ય પગલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.