Abtak Media Google News

આગામી તા.૩જી સપ્ટેમ્બરના રોજ યાત્રાધામ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં દર વર્ષની જેમ લાખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય તેમને સરળતાથી દર્શન તેમજ સલામતી, સુરક્ષા સહિતના મુદાઓ અંગે આજરોજ દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની કચેરી ખાતે દેવસ્થાન સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેકટર જે.આર. ડોડીયાના અધ્યક્ષ સ્થાને એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં અધિકારીગણ તેમજ ટ્રસ્ટીઓ તથા ગામના પ્રબુધ્ધ નાગરીકો વચ્ચે સુચારૂ આયોજન અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી. આ મીટીંગમાં અધિક કલે. રાવલ, પ્રાંત અધિકારી જાડેજા, સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.