Abtak Media Google News

પાલીકા પ્રમુખની સ્થળ મુલાકાત બાદ બે દિવસમાં સમસ્યા ઉકેલવાની ખાતરી

દ્વારકા નગરપાલિકાની ખારવા દરવાજા વિસ્તારના રહેવાસીઓ દ્વારા થોડા સમય પહેલાં પીજીવીસીએલના અન્ડરગ્રાઉન્ડ વાયરીંગ અનુસંધાને ખોદાયેલાં રોડને રીસરફેસ ન કરાતા સેંકડો લોકોને પડતી મુશ્કેલી અંગે દ્વારકા નગરપાલિકામાં લેખીતમાં રજુઆત કરતા નગરપાલિકા પ્રમુખ જીતુભા માણેકે તેમની ટીમ સાથે સ્થળ મુલાકાત કરેલ. જયાં તેમને લોકોની ફરિયાદ સાચી હોવાનું જણાતા પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર અરીલાને ફોનથી સુચિત કરી લોકોની સમસ્યા જણાવતા આ અંગે જવાબદાર કોન્ટ્રાકટરને સ્થળ પર તાબડતોબ રજુઆત કરવામાં આવેલ.

Advertisement

Img 20180406 Wa0018જવાબદાર કોન્ટ્રાકટરે આ વિસ્તારમાં રોડના કામગીરી ન થઈ હોવાથી લોકોને પડતી મુશ્કેલી અંગે પોતાની ભૂલ સ્વીકારી બે દિવસમાં જ કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી પ્રમુખને આપી હતી. સ્થળ મુલાકાત સમયે પાલિકા પ્રમુખ જીતુભા માણેક સાથે શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બુજડ, પાલિકા સદસ્ય ધવલ ચંદારાણા તેમજ ન.પા.સેક્રેટરી કે.જી.હિંડોચા, સેનેટરી ઈન્સ. સંજય દતાણી, બીરેન સવાણી વગેરે ઉપસ્થિત રહી લોકોની સમસ્યા સાંભળી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.