Abtak Media Google News

પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પાલિતાણાના એક જ પરિવારના ચાર લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત થઇ છે.

પાદરા-જંબુસર હાઇવે પર કુરાલ ચોકડી નજીક આવેલા એસ્સાર પેટ્રોલ પંપ પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઇકો કાર જંબુસર તરફ જઇ રહી હતી. ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અકસ્માત સર્જાતા મોતની ચિચિયારીઓથી વાતાવરણ ગૂંજી ઉઠ્યુ હતુ. જેમાં એક જ પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. જેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને બે યુવકોનો સમાવેશ થાય છે. આ પરિવાર પાલિતાણાનો હોવાનું જાણવા મળ્યુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.