Abtak Media Google News

સુરત શહેર ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. મોહનભાઈ કાળુંભાઈ બારીયા તથા કરછ પશ્ચિમ ભુજ જિલ્લા ખાતે ફરજ બજાવતા એ.એસ.આઇ. જસવંતકુમાર કિશનલાલ યાદવનું કોવિડ સંક્રમણના કારણે  સારવાર દરમિયાન અવસાન થતા, સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના આત્માની શાંતિ મળે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડીવાયએસપી કચેરી ખાતે નવા આવેલા પ્રોબેશ્નર આઇપીએસ કુ. વિશાખા ડબરાલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, મહિલા પોલીસ સ્ટેશન પીઆઇ જે.પી.વરિયા, રીડર પીએસઆઇ આર.કે. સાનિયા, ટ્રાફિક પીએસઆઈ એ.બી.દેસાઈ તથા ડિવિઝનના તમામ સ્ટાફ દ્વારા બે મિનિટ મૌન પાડી, સદગતના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.