Abtak Media Google News

ઈડર નગરપાલિકા દ્રારા સર્કલ ખાતે 14 લાખના ખર્ચે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

સાબરકાંઠા જીલ્લાના ઈડર ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે રોડ નં-8 પર આવેલ ભિલોડા ત્રણ રસ્તા સર્કલ હવેથી મહારાણા પ્રતાપ સર્કલના નામથી ઓળખાશે ઈડર નગરપાલીકા દ્વારા ભિલોડા ત્રણ રસ્તા પર આશરે 14 લાખ રૂપિયાના ખર્ચે મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઈડર ટાઉન હોલ ખાતેથી બાઈક રેલી યોજી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે નવિન પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ટાઉન હોલ ખાતે પાલીકા દ્રારા 7 કરોડથી પણ વધુ રકમના વિવિધ વિકાસકાર્યો જેવાકે પાલીકા દ્રારા બનાવવામાં આવેલ ઈડર શહેરમાં પ્રવેશતા બે મોટા ગેટ,વિવિધ વિસ્તારોના કોમ્યુનિટી હોલ જેવા કામોનું ખાતમુહર્ત અને લોકાર્પણ કાર્યક્ર્મ યોજયો હતો જેમા ધારાસભ્ય રમણલાલ વોરા,સાંસદ દીપસિંહ રાઠોડ,જીલ્લા ભાજપ પ્રમુખ જે. ડી.પટેલ, પાલીકા પ્રમુખ જયસિંહ તંવર, ભાજપના કાર્યકરો,હોદેદારો સહિત નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.