Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગૌ શક્તિનું જતન કરીએ: રાકેશભાઈ ચૌધરી

સાબરકાંઠા જિલ્લામાં ઈડર તાલુકાના ચોટાસણ ગામના ગૌભક્ત રાકેશભાઈ બેચરભાઈ પટેલ જેઓ 50 જેટલી દેશી ગૌ શાળા બનાવીને પ્રાકૃતિક ખેતી થકી ગાયોની પુજા અર્ચના કરી રહ્યા છે તેઓ જણાવે છે કે વર્ષ 2014 માં હાથમાં 1500 જેટલી મામુલી રકમ થકી ગાયમાતાના આશિર્વાદથી ઘરમાં પાંચ દિવસની ગૌ કથાનું આયોજન કરાવ્યું અને તે પાંચ દિવસોમાં બીજી પાંચ ગાયો ખરીદી અત્યારે નાના વાછરડાથી માંડી 50 જેટલી દેશી ગાયો છે જેમાં હાલ 15 જેટલી ગાયો દૂધ આપે છે શુધ્ધ જીવનશૈલી અર્થે દેશી ગાયના દૂધમાંથી હું શુધ્ધ ઘી બનાવીને નજીવી કિંમતે વેચાણ કરું છું મહિને લગભગ 30 થી 40 કિલો ઘીનું વેચાણ થાય છે

અમારે ત્યાંથી ઘી છેક તમિલનાડૂ,નાંદેલા,મુંબઈ અને રાજસ્થાન સુધી લોકો લઈ જાય છે વળી, હું 3 એકર જમીનમાં દેશી ગાયના ગોબરથી મરચાં,ભીંડા,ગવાર, રિંગણ જેવી શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરું છું તેઓ વધુમાં જણાવે છે કે હું એ અભાગીયો બાપ છું કે જેને દિકરી નસીબ નથી આથી હું ગામની જે દિકરીના લગ્ન હોય તે દિકરીના અગ્નિ કુંડમાં હોમ માટે દેશી ગાયનું ઘી દાનમાં આપુ છું તેમજ દેશી ગાયના ગોબરમાંથી બનાવેલા ઈકો ફ્રેન્ડલી ગણપતિ આશિર્વાદ રૂપે આપુ છું જેથી દિકરીનું આવનાર જીવન વિઘ્ન વગર સુખેથી પસાર થાય વળી,ગામની સગર્ભા દિકરીને બે ટાઇમ દેશી ગાયનું દૂધ અને ઘી નિ:શુલ્ક આપી દિકરીની ઝંખનાનો કોડ પુરો કરી રહ્યો છું

દિકરીને આપેલા દેશી ગાયના દૂધ અને ઘી થી આવનાર બાળક તદુંરસ્ત અને અને ગર્ભમાં જ બાળકને ભારતીય મુલ્યોનું સંવર્ધન થઈ સંસ્કારવાન બનશે તેવુ માનુ છું તેમજ કોઈ વ્યક્તિને દવા માટે દેશી ગાયના ઘીની જરૂરીયાત હોય તો તે પણ નિ:શુલ્ક આપુ છું લોકો કથામાં જઈને દેશી ગાયની પૂજા વિધી કરતા હોય છે પણ રાકેશભાઈ તો પોતાના તબેલામાં દરરોજ બે ટાઇમ દેશી ગાયના ગોબર અને ઘીનો યજ્ઞ કરીની ગાયોની પુજા કરે છે

હાલના સમયમાં રાકેશભાઈ અને બીજા અન્ય ખેડૂત મિત્રો મળી 20 જેટલા વાહનોના કાફલા સાથે ગૌ પર્યાવરણ આધ્યાત્મિક ચેતના યાત્રા થકી પ્લાસ્ટિક મુક્ત ભારત,ગૌ હત્યા અટકાવવાના સંકલ્પ સાથે ગુજરાત ભ્રમણ  કરી રહ્યા છીએ.અને લોકોને દેશી ગાય અને પ્રાકૃતિક ખેતી માટે જાગૃતી ફેલાવી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ચોટાસણના રાકેશભાઈ ચૌધરી દેશી ગૌ શાળા અને પ્રાકૃતિક ખેતી માટે રાજ્યપાલના હસ્તે જિલ્લા કક્ષાએ બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડમળેલો છે. આજના આધુનિક યુગમાં જ્યા લોકો રાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના છંટકાવમાં પળોવાઈ લોકોના સ્વસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે ભારતીય મૂલ્યોને સાચા અર્થે સાર્થક કરી ગૌ શક્તિનું જતન કરી રહેલા રાકેશભાઈ લોકો માટે પ્રેરણારૂપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.