Abtak Media Google News

અંગત લુંટ કે જમીનના વિવાદ સહિતના મુદ્દે તપાસનો ધમધમાટ

મુળ શિરાની વાંઢ રાપર અને હાલે રાજકોટ  ખાણખનીજ ખાતામાં નોકરી કરતા એક પ્રૌઢની ભચાઉ તાલુકાના ગાગોદર પાસે મારમારીને ક્રુરતા પૂર્વક હત્યા કરાતા ચકચાર મચી છે. પ્રૌઢ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા બાદ તેને ગાંધીધામ લઇ આવતી વખતે દમ તોડી દેતા મામલો હત્યામાં પલટાયો છે. જો કે હજુ હત્યા પાછળનું કારણ કે આરોપીઓનો પત્તો લાગ્યો નથી. પોલીસ મતૃકની જુની અદાવત જમીન કે નોકરીના સંદર્ભમાં તપાસ કરી રહી છે.

અા અંગે આડેસર પોલીસે જણાવ્યું હતું કે રાપર તાલુકાતચ ગાગોદર પાસે હોટલ નવરંગ પાછળ રાયધણભાઇ રણમલભાઇ પરમાર (કોલી) (ઉ.વ.૪૫ મુળ શિરાનીવાંડ રાપર) ની લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. અજાણ્યા આરોપીઓએ રાયધણભાઇના બન્ને હાથ અને પગમાં ઘાતક હથીયારો વડે ક્રુરતા પૂર્વક હુમલો કર્યો હતો.

બન્ને હાથ અને પગ ભાંગી નાખવામાં આવ્યા હતા. જેના પગલે તેઓનો મોટી રાયધણભાઇગંભીર હાલતમાં મળી આવતા તાત્કાલીક ગાગોદર પીએચસીમાં તેઓને પ્રાથમીક સારવાર કરવામાં આવી હતી.

પરંતુ વધારે સારવાર માટે તેઓને ગાંધીધામ લઇ આવતા હતા ત્યારે ભચાઉના વોંધ પાસે તેઓએ દમ તોડી દીધો હતો. જેના મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકના પુત્ર યોગેશ રાયધણ પરમારએ અજાણ્યા આરોપીઓ સામે હત્યાની ફરીયાદ નોંધાવી હતી.

પરમારે જણાવ્યું હતું કે હાલ હત્યા પાછળનું કારણ કે આરોપીઓનો કોઇ પત્તો લાગ્યો નથી. મૃતક મુળ શીરાની વાંઢના છે. હાલે રાજકોટ ખાણ ખનીજ વિભાગમાં સ્ટોર કિપર તરીકે કામ કરે છે જો કે તેઓ અહીં શું કરવા આવ્યા હતા તે બહાર
આવ્યું નથી. તેઓ પાસેથી મોબાઇલ સહીતની સામગ્રી મળી આવી છે તેથી હત્યા પાછળ લુંટનો ઇરાદો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.