Abtak Media Google News

પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નગરજનો માટે વધુ એક સવલત : માત્ર રૂ.૫૦માં ૭૦૦ સ્નાયુઓ અને ૩૬૦ સાંધાઓનો ઈલાજ

મોરબીમાં રોટરી બાલમંદિર ખાતે પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી શનિવારથી શહેરનું સૌપ્રથમ રાહત દરે ચાલતું ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ થવા જઈ રહ્યું છે જેમાં માનવ શરીરના ૭૦૦ સ્નાયુઓ અને ૩૬૦ સંધાઓનો ઈલાજ માત્ર રૂ. ૫૦ માં કરવામાં આવશે.

મોરબીના નગરજનોને નજીવા દરે ફિઝિઓથેરાપી સારવાર મળી રહે તેવા આશયથી સારું મળી રહે તેવા આશયથી પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોટરી બાલમંદિર ખાતે આગામી તા. ૧૯ને શનિવારે સવારે ૯:૩૦ વાગ્યાથી ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટર મોરબીનું એકમાત્ર રાહત દરે ચાલતું ફિઝિયોથેરાપી સેન્ટર બનશે. સેન્ટરમાં ૭૦૦ સ્નાયુઓ અને ૩૬૦ સંધાઓના ઈલાજ માટે માત્ર રૂ. ૫૦ જેવી નજીવી રકમ લેવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે પંચમુખી હનુમાનજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં નિરાધાર વૃદ્ધોને ટિફિન સેવા પુરી પાડવામાં આવે છે. ઉપરાંત અંતિમયાત્રા માટે પણ મદદ કરવામાં આવે છે. આ સાથે સંસ્થા દ્વારા પંચમુખી મંદિર વેજીટેબલ રોડ પર તથા રોટરી બાલમંદિર ખાતે રાહતદરે હોસ્પિટલો પણ કાર્યરત છે.

રોટરી બાલમંદિર ખાતે આગામી શનિવારથી શરૂ થવા જઈ રહેલા ફિઝિઓથેરેપી સેન્ટરનો લાભ લેવા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.