Abtak Media Google News
  • દિલ્હીના મુખ્યમંત્રીના 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજુર કરતી સુપ્રીમ : આ દરમિયાન કેજરીવાલ પ્રચાર પણ કરી શકશે

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી વચગાળાના જામીન મળ્યા છે. કોર્ટમાં લગભગ પાંચ મિનિટ સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને એફિડેવિટ પર સુનાવણી દરમિયાન કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો. તિહાર જેલમાં 40 દિવસ પૂરા કર્યા બાદ કેજરીવાલના જામીન મંજુર કર્યા છે.

Advertisement

ચૂંટણીના ધમાસાણ વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા સીએમ કેજરીવાલ માટે સારા સમાચાર સામે આવ્યા છે.  સુપ્રીમ કોર્ટે આજે કેજરીવાલના વચગાળાના જામીન પર પોતાનો આદેશ આપ્યો છે અને તેમને 1 જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે.  પ્રચારના સવાલ પર અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે.  તે જ સમયે, ઇડીએ માત્ર વચગાળાના જામીનનો વિરોધ કર્યો ન હતો, પરંતુ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને કેજરીવાલ અને તેમની આમ આદમી પાર્ટીને ઘેરવાની સંપૂર્ણ યોજના તૈયાર કરી હતી.  ઇડી કેજરીવાલને દારૂ કૌભાંડનો મુખ્ય પાત્ર ગણાવી રહી હતી.

જો ચૂંટણી ન હોત તો વચગાળાના જામીનનો પ્રશ્ન જ ઉભો ન થાત. જો કે, 7મી મેના રોજ બેન્ચે કોઈ ચુકાદો આપ્યા વિના મુલતવી રાખી હતી. આ પછી 9 મેના રોજ ઇડીએ કેજરીવાલના જામીનનો વિરોધ કરીને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટની ચૂંટણીની દલીલ પર ઇડીએ કહ્યું કે કેજરીવાલ ચૂંટણી લડી રહ્યા નથી. આ પહેલા કોઈપણ નેતાને પ્રચાર માટે જ્યુડિશિયલ કસ્ટડીમાંથી જામીન મળ્યા નથી. પ્રચાર એ મૂળભૂત અધિકાર નથી.કેજરીવાલની કાનૂની ટીમે ઇડીની એફિડેવિટ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ઇડી એફિડેવિટને કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ખાસ કરીને આ બાબતે આખરી નિર્ણય સુપ્રિમ કોર્ટમાં લેવાનો છે અને સુપ્રીમ કોર્ટની મંજુરી લીધા વગર જ સોગંદનામું રજુ કરવામાં આવ્યું છે .

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.