Abtak Media Google News

વાવાઝોડા અને પુર જેવી સ્થિતિમાં લોકોએ સાવચેતી જાળવવી

વાવાઝોડા અને પુર જેવી કુદરતી આફતની પરિસ્થિતિ ઉદભવે તો વાવાઝોડા અને પુર પહેલા, વાવાઝોડા અને પુર દરમ્યાન અને વાવાઝોડા અને પુર પછી લોકોએ કેવી સાવચેતી જાળવવી તે અંગે ફાયર અને ઇમરજન્સી વિભાગે માહિતી આપી હતી.

Advertisement

(વાવાઝોડા અને પુર પહેલા)

વાવાઝોડા અને પુરને લગતી ખોટી અફવા ફેલાવવી નહી. શાંતિ પૂર્વક ગભરાયા વગર બધી બાબતો ધ્યાનમા રાખવી. વાવાઝોડા અને પુરની પરિસ્થિતિ સર્જાય એ પહેલા જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ એકત્ર કરી રાખવી. ઘરના બારી-બારણા તથા છાપરાનું મજબુતી કરણ કરવું. જો વાવાઝોડું કે પુર આવે તો વીજળી અવર-જવરના પ્રશ્નો થતા હોય તે માટે પોત-પોતાના મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા, જેનાથી સંકટ પરિસ્થિતિમાં મોબાઈલ દ્વારા સંપર્ક સાધી શકાઈ. વાવાઝોડા કે પુરના સમાચારો અને ચેતવણીઓ ટી.વી. રેડિયોમા સતત સાંભળતા રહેવું. આ માટે બેટરી થી ચાલતા રેડિયો વાપરવા. આપના રેડીયો સ્ટેશનો ચાલુ હાલતમાં રાખવા. સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્ન કરવો. જો જોખમી વિસ્તારમાં રહેતા હોવ તો વાવાઝોડા કે પુરની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરી લેવું. સ્થળાંતર કરવા માટે સરકાર તરફથી સુચના મળે તો અવશ્ય પાલન કરવું.

(વાવાઝોડા અને પુર દરમ્યાન)

વાવાઝોડા અને પુર દરમ્યાન જર્જરિત બિલ્ડીંગો કે મકાનો અથવા વૃક્ષ નીચે આશ્રય લેવો નહી. વાવાઝોડા અને પુર દરમ્યાન બહાર નીકળવાનું ટાળો. જો આ સમયે ઘર ખાલી કરવાની સુચના ન મળી હોઈ તો ઘરના મજબુત ભાગમાં આશરો શોધી અંદરજ રહેવું જોઈએ. વાવાઝોડા અને પુર સમયે રેલ્વે અને દરિયાઈ મુશાફરી કરવી નહિ. માછીમારો એ દરિયામાં જવું નહી અને હોડીઓને સલામત સ્થળે રાખવી. બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળવું. ઘરની બહાર ખુલ્લા છુટા પડેલ વાયરો ને અડકવા નહી.વીજળીના તારથી દુર રહેવું થાંભલા કે વીજ ઉપકરણોને અડશો નહી.

(વાવાઝોડા અને પુર બાદ)

વાવાઝોડા અને પુર પછી નુકશાનગ્રસ્ત મકાનોની અંદર જવાનો પ્રયાસ કરવો નહી. ઈજા પામેલાઓને તાત્કાલિક દવાખાને ખસેડવા. ફોન નો ઉપયોગ જરૂરિયાત પુરતો જ કરવો. જો ઘરમાં કોઈ પણ પ્રકારની નુકશાની ન થય હોય તોજ તે ઘરમાં રહેવું. બહાર નીકળતા પહેલા વાવાઝોડું કે પુર પસાર થય ચૂક્યું છે હવે કોઈ જાત નો ડર નથી તોજ ઘરની બહાર નીકળવું. સ્થાનિક અધિકારીઓની સુચના મળે તેમનું અચૂક પાલન કરવું જોઈએ. રેડિયો કે ટી.વી.ઉપર સલામતી નો સ્પષ્ટ સંદેશ મળે ત્યાં સુધી રાહ જોવી. તૂટેલા વીજળીના તાર, પુલ.તથા મકાનો થી દુર રહેવું. કાટમાળમાંથી પસાર થતા પતરા, કાચના ટુકડા, સાપ જેવા ઝેરી જીવજંતુથી સાવધાન રહેવું. પૂરગ્રસ્ત વિસ્તારો થી દુર રહેવું. દરિયાઈ પ્રવાસ કે માછીમારી જવા માટે અગાઉ ૨૪ કલાક રાહ જોવી જોઈએ.

કપડા જરૂરી દવાઓ કીમતી ચીજ વસ્તુઓ, અંગત દસ્તાવેજો, વગેરેને વોટરપ્રૂફ પેકીંગમાં બાંધી સાથે રાખવા. ફર્નીચર, ઘર ઉપયોગી સાધનો વગેરેને પલંગ કે ટેબલ ઉપર ઉંચે મૂકી રાખો. પુરના પાણી ગટર દ્વારા ઘરમાં ન ઘુસે તે માટે રેતીની કોથળીઓ મૂકી ગટરો બંધ રાખવી. ઘર છોડતા પહેલા વીજ પુરવઠો અને ગેસ સિલિન્ડર અચૂક બંધ કરવા. ઘરને તાળું મારી બંધ કરો અને દર્શાવેલા માર્ગે સલામત સ્થાને પહોંચવું. લોકો અને પશુઓ સલામત આશ્રય લઇ શકે તેવા ઉંચા સ્થળે સ્થળાંતર કરવું. અજાણ્યા અને ઊંડા પાણીમાં ઉતરવાનું ટાળો. બાળકો ને ભૂખ્યા ના રાખવા જોઈએ તાજો રાંધેલો અથવા સુકો ખોરાક ખાવો, ખોરાકને ઢાંકીને રાખવો. આસપાસની જગ્યાએ જંતુમુક્ત રાખવા ચૂનો અને બ્લિચિંગ પાવડરનો છંટકાવ કરવો. આરોગ્ય વિભાગની સુચના મુજબ ઉકાળેલું જ પાણી પીવાનો અથવા પાણીને જંતુમુક્ત કરી પીવું જોઈએ. ક્લોરીનયુક્ત પાણી પીવું જોઈએ. મલેરિયા થી બચવા માટે મચ્છરદાની નો ઉપયોગ કરવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.