Abtak Media Google News

જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં વૈશાખી મેળા દરમિયાન મોટી દુર્ઘટના બની હતી જેમાં બેની સંગમ વિસ્તારમાં લોખંડની ફૂટબ્રિજ તૂટી પડતા અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે વિસ્તારમાં વૈશાખી મેળો ચાલી રહ્યો હતો અને આ બૈસાખી મેળામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ફૂટબ્રિજ વિસ્તારમાં લોકોએ જાતે પૈસા જમા કરીને બનાવ્યો હતો. આ અકસ્માતનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે ઉધપુરના એસએસપી ડૉ. વિનોદે કહ્યું છે કે આ ઘટનામાં 6 લોકો ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પોલીસની સાથે અન્ય ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.