Abtak Media Google News

ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ રાજકોટનાં પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષી તાજેતરમાં મળેલ સામાન્યસભામાં બિનહરીફ ચુંટાયા છે. સર્વે જ્ઞાતિજનોના દ્વારા હર્ષ અને ઉલ્લાસનાં વાતાવરણમાં ફરી બિનહરીફ ચુંટાયા છે. ચુંટણી અધિકારી તરીકે જ્ઞાતિ મોભી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટનાં પ્રમુખ, સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અનંતભાઈ ભટ્ટ તેમજ સહાયક તરીકે નરેન્દ્રભાઈ ભટ્ટ અને પ્રવિણભાઈ જોષીએ પ્રમાણિક, નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવી સામાન્યસભા, ચુંટણી અંગેનું કાર્ય પૂર્ણ કરી પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષીને જાહેર કરેલા હતા. ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ રાજકોટની બેઠક ટુંક સમયમાં મળશે. જેમાં હોદેદારોની વરણી કરવામાં આવશે. પ્રમુખ તરીકે પ્રફુલભાઈ જોષી (મો.૯૮૨૪૨ ૪૧૫૩૨)ને જ્ઞાતિજનો અને અન્ય સમાજનાં વડીલો તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. હાલ પ્રમુખ સાથે અન્ય કારોબારી સભ્યોને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરેલ તેમ જ્ઞાતિનાં હરેશભાઈ ઠાકર તથા જયેશભાઈ રાવલની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.