Abtak Media Google News

ગીર સોમનાથ સમાચાર

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજ રોજ સોમનાથ દાદાના દર્શનાર્થે પહોચ્યા હતા. અમેરિકા સ્થિત પુત્ર ઋષભને ત્યાં પુત્રીનો જન્મ થતા પુત્ર તથા પરિવારે આજે સોમનાથ દાદાના આશીર્વાદ મેળવ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિરે તેઓએ સુવર્ણ કળશ સમર્પિત કર્યો હતો. તેમણે  વિશેષ મહાપૂજા કરાવી અને સોમનાથ દાદાના શિખરે ધ્વજારોહણ કર્યું. આ ઉપરાંત અયોધ્યા ખાતે ૨૪ જાન્યુંઆરીએ રામ મંદિર લોકાર્પણ પ્રસંગે અત્રેથી રામ નામ લખાયેલી બુકો મોકલનાર છે. તેમાં વિજયભાઈ રૂપાણીએ રામ નામ લખી ભાવ ભક્તિ સમર્પિત કરી હતી .

આજના પારિવારિક ધર્મોત્સવમાં રાજકોટના અગ્રણી નીતિન ભારદ્વાજ વેરાવળના ઉદય શાહ તેમજ શુભેચ્છકો હાજર રહ્યા હતા. પત્રકાર મિલનમાં વિજયભાઈ જણાવ્યું હતું કે વર્ષ 2024 ની લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ જંગે બહુમતીથી જીતશે અને નરેન્દ્ર મોદી ફરી ભારતના વડાપ્રધાન બનશે.

જયેશ પરમાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.