Abtak Media Google News

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કોચ અને મહિલા બેટ્સમેન Sreerupa Bose (મુખર્જી) નું હૃદય રોગના હુમલાને કારણે અવસાન થઈ ગયું છે. ૬૬ વર્ષીય શ્રીરૂપાએ કોલકાતાના પોતાના નિવાસ સ્થળ પર છેલ્લા શ્વાસ લીધા હતા.

Advertisement

શ્રીરૂપા પોતાના પતી ભૂતપૂર્વ બંગાળ ઓલમ્પિક એસોસિએશન (બીઓએ) અધ્યક્ષ પરેશ નાથ મુખર્જી અને પુત્રી ટેનીસ ખેલાડી અમૃતા મુખર્જીની સાથે રહેતી હતી. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે, શ્રીરૂપા સવારે લગભગ ૧૦:૩૦ વાગે બાથરૂમમાં પડી ગયા હતા. ત્યાર બાદ તેમને સ્થાનીય હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

શ્રીરુપા ભારતીય મહિલા ક્રિકેટમાં જાણીતું નામ છે. તેમને કેટલીક વનડે મેચમાં ટીમ ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યુ છે. ત્યાર બાદ ૧૯૯૩, ૧૯૯૭ અને ૨૦૦૦ માં આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપની ટીમ ઇન્ડિયાના કોચ પદની જવાબદારી નિભાવી હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.