Abtak Media Google News

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ જયારથી સંગઠન અને સમાજ સેવાના હેતુસહ સ્થાપિત થયું ત્યારથી સર્વ સમાજ માટે નવા નવા આયામો અને પ્રકલ્પો સાથે સમાજ વચ્ચે રહી સમાજ સેવાનું કામ કરે છે. ત્યારે ર1મી જાન્યુઆરી એટલે ખોડલધામ પરિવાર માટે સેવાના માઘ્યમથી એકતા અને સંગઠનના દર્શન કરાવવાનો ગૌરવવંતો દિવસ ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલે જાહેર કરેલા ત્રણ મુખ્ય પ્રકલ્પ શિક્ષણ, આરોગ્ય અને કૃષિ જે અંતર્ગત આગામી તા.ર1મી જાન્યુઆરી 2024ના રોજ રાજકોટ નજીકના અમરેલી ગામ ખાતે સર્વ સમાજ માટેનું એક આરોગ્ય ધામ એટલે કે અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિપુજન સમારોહનું આયોજન કરાયું છે.

દાતાઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પ બઘ્ધ કરવા, રવિવારથી ચેરમેન નરેશભાઇ પટેલની ગુજરાત- મહારાષ્ટ્રની આરોગ્ય સેવા સંકલ્પ યાત્રા

કેન્સર હોસ્પિટલમાં કોઇપણ દાતા ભૂમિદાન કરી સેવા કાર્યમાં જોડાઇ શકે છે: નરેશભાઇ પટેલ

અત્યાધુનિક કેન્સર હોસ્પિટલના ભૂમિભુજન અંગે પત્રકારોને માહીતી આપતા ખોડલધામ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલે કહ્યું હતું કે, ખોડલધામનો વધુ એક પ્રકલ્પ રાજકોટ નજીક અમરેલી ગામ ખાતે ર1મી જાન્યુઆરીએ અત્યાધુનિક કેન્સર હોસ્પિટલનું ભૂમિપુજન થશે. આ આરોગ્ય સેવા સંપલ્પને સાર્થક કરવા અને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પ બઘ્ધ કરવા 17 ડીસેમ્બરથી ગુજરાત મહારાષ્ટ્રનો પ્રયાસ કરશે.

કેન્સર હોસ્પિટલ અંગે નરેશભાઇએ વધુમાં જણાવતા આ હોસ્પિટલના પ્રથમ ફ્રેઝનું કામ બે થી ત્રણ વર્ષમાં પૂર્ણ થશે જયારે પ્રથમ ફેઇઝમાં ર00 બેડની સુવિધા સાથે અનુભવી અને તજજ્ઞ તબીબોની સેવા લેવાશે, જયારે આ સંકુલમાં સંશોધન કેન્દ્ર સહિતના અનેક વિભાગો કાર્યરત થશે. તેઓના આરોગ્ય સેવા સંકલ્પ અંગે કહ્યું હતું કે, દર્દીઓને અત્યાધુનિક સારવાર મળી રહે તેજ અમારો હેતુ છેકેન્સર હોસ્પિટલમાં કોઇપણ દાતા ભૂમિ દાન કરી સેવા કાર્યમાં જોડાઇ શકે છે.

હોસ્પિટલના ભૂમિ પુજન અંગે બોલતા નરેશભાઇએ કહ્યું હતું કે, અમરેલી ગામે નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલનું ભૂમિપુજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે. આ ભૂમિપુજન સમારોહ ખોડલધામ મંદિરેથી વર્ચ્યુઅલી સવારે 7 કલાકથી કરવામાં આવશે. જાહેર કાર્યક્રમ અને સ્ટેજ કાર્યક્રમ ખોડલધામ મંદિર કાગવડ ખાતે સવારે 9.30 થી 11.30 સુધી રહેશે. આ પ્રકલ્પને સાર્થક બનાવવા માટેનો સંદેશ અને માહીતી ઘર ઘર સુધી પહોંચે અને દાતાઓને કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબઘ્ધ કરવાના શુભ આશયથી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ આગામી તા. 17 ડિસેમ્બર 2023 ના રોજ દેવાધિ દેવ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રવાસની શરુઆત કરશે અને 6 જાન્યુઆરી સુધી આ પ્રવાસ ચાલશે. આ પ્રવાસ દરમિયાન નરેશભાઇ પટેલ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ સ્થળોની મુલાકાત લેશે. આ પ્રવાસ દરમિયાન નરેશભાઇ પટેલ સમસ્ત ગુજરાત અને ગુજરાત બહાર વસતા ખોડલધામ પરિવારના તમામ ભાઇઓ-બહેનોને રુબરુ મળીને આ કેન્સર હોસ્પિટલના પ્રકલ્પ અંગ માહિતગાર કરશે અને દાતાઓને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન કરી આ સેવાકીય કાર્યમાં જોડાવા આહ્માન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.