Abtak Media Google News

પર્યાવરણ રક્ષાના કાર્યમાં સહયોગ આપવા રાષ્ટ્રીય કામધેનુ આયોગના ગૌ ચેતના જાગૃતિના અભિયાનમાં સહભાગી બનીએ

આત્મનિર્ભર ભારત માટે ગૌશાળાને સ્વાવલંબી બનાવવાના અભિયાનમાં જોડાવા ડો.કથીરિયાની હાકલ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના “મન કી બાત કાર્યક્રમની શૃંખલામાં ગણશોત્સનો શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ગણેશોત્સવ દરમિયાન સ્થાપન કરવા અંગે દેશની જનતાને આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીના આ આહવાનને સ્વીકારી “રાષ્ટ્રીય કામધેનુ આયોગ આ વર્ષે ગોમય-ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન અને પૂજન માટે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કર્યો છે.

Advertisement

ડો. કથીરિયાએ પ્રધાનમંત્રીના “આત્મ નિર્ભર ભારત અને મેઈક ઈન ઈન્ડીયા આંદોલનને ધ્યાનમાં રાખી આ વર્ષે સમગ્ર દેશની ગૌશાળાઓનું તથા યુવા મહિલા ઉદ્યમીઓ, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ, સામાજીક, ધાર્મિક સંસ્થાઓ અને ગૌસેવકોને ભારતીય દેશી ગાયોના ગોબરમાંથી ગણેશજીની અલગ અલગ સાઈઝની મૂર્તિઓ બનાવવા આ અભિયાનમાં જોડાવા આગ્રહ કર્યો હતો અને ટ્રેનીંગ આપી હતી.

રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયાએ વિગતો જણાવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીથી શરૂઆત કરી અલગ અલગ રાજકીય, સામાજીક અગ્રણીઓ, ધર્મ-સંપ્રદાયના વડાઓ અને પ્રતિષ્ઠિત સેલીબ્રીટીઓને આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરી હતી. વર્તમાનમાં કોરોનાના સંક્રમણ કાળમાં સૌ પોત-પોતાના ઘરમાં ગોબર-ગોમળમાંથી બનાવેલા ગણપિતિજીનું સ્થાપન કરી પૂજન અર્ચન કરી ગણપતિ ઉત્સવ મનાવે. સાથે વિસર્જન કરવામાં આવે ત્યારે ઘરના જ વૃક્ષો છોડ માટે ખાતર તરીકે ઉપયોગ કરે તેવી અપિલ દ્વારા મહાનુભાવોએ અભિયાનને વેગ આપ્યો હતો.

ડો. કથીરિયાએ જણાવ્યું હતું કે ગોમળ-ગોબરની ગણેશજીની પ્રતિમાના ઉપયોગથી પર્યાવરણ રક્ષા થશે. પી.ઓ.પી. થી થતુ પ્રદૂષણ અટકશે. ઘરમાં ગોબરના રાખવાથી નુકશાનકારક કિરણો અટકાવી શરીરનું રક્ષણ કરશે. ઘરમાં પવિત્રતા રહેશે “ગોમયે વસતે લક્ષ્મી મુજબ ઘરમાં સમૃધ્ધિ વધશે. ભગવાન શ્રી ગણેશજીના આશીવાદ પ્રાપ્ત થશે. અને વિસર્જત પ્રતિમાનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ થશે. પરોક્ષ રીતે ગૌસેવાનું પુણ્ય પ્રાપ્ત થશે. યુવા મહિલાઓને રોજગારી મળશે. ગૌશાળાઓ સ્વાવલંબી બનશે સ્વદેશી અને આત્મ નિર્ભરતાનો ઉદેશ સિધ્ધ થશે. જનતા જર્નાદનને આ અભિયાનમાં તન-મન-ધનથી જોડાઈ કોરોના સમયમાં ઘરમાં જ ગણેશોત્સવ દરમ્યાન ગોમય ગણેશનું સ્થાપન કરીને કામધેનુ આયોગના જન અભિયાનને સાર્થક કરીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.