Abtak Media Google News

આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ચૂકયો છે. ૧૦ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. અલબત કોરોના મહામારી હોવાથી ઉત્સવ સાદગીથી ઉજવાશે. ભક્તોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો આગ્રહ રાખ્યો છે. દરમિયાન કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળાએ આજે ગણેશ ચતુર્થી નિમિતે રાજભવન ખાતે પૂજા-અર્ચના કરી હતી. આ તકે રાજભવનનો સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. વજુભાઈ વાળાએ આ પ્રસંગે લોકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ પાઠવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.