Abtak Media Google News
સેમિનારમાં ડો.અમિત માણેક ‘ડાયાબિટીસ’ અંગે સંપૂર્ણ માહિતી આપશે: ૨૦ જુલાઈથી ચાર દિવસીય વામકુક્ષી હાઉસ ખાતે ‘સહજ ધ્યાન યોગ’ શિબિરનું પણ આયોજન

આજના આધુનિક યુગમાં સ્વાસ્થ્યની સંભાળ ખુબ જ મહત્વની બનતી જાય છે. આજનો માનવી રોજબરોજના કામમાં એટલો વ્યસ્ત છે કે સ્વાસ્થ્યની સંભાળ રાખતા જ ભૂલી જાય છે અને વિવિધ રોગોનો ભોગ બને છે. એક સર્વેક્ષણ મુજબ ભારતામાં ૬.૫ કરોડ લોકો ડાયાબીટીસના રોગથી પીડાય છે. ભારતમાં પ્રતિવર્ષ ડાયાબીટીસ પર ૪૦ હજાર કરોડનો ખર્ચ થાય છે.

Advertisement

આ અંગેનો ‘ડાયાબિટીસ મુકત જીવન’ ફ્રી સેમીનારનું આયોજન સુરક્ષા સેતુ સોસાયટી અને રાજકોટ શહેર પોલીસ દ્વારા તા.૧૬ જુલાઈ રવિવારના રોજ હેમુગઢવી હોલ, રાજકોટ ખાતે સવારે ૧૧ થી ૧ કલાકે કરવામાં આવ્યું છે. આ સેમિનાર ડો.અમિત માણેક ડાયાબિટીસના રોગને ૩ દિવસમાં કઈ રીતે નાબુદ કરવો તે અંગેની માહિતી આપશે. આ સેમિનારમાં ડાયાબિટીસ શું છે ? ડાયાબિટીસ, બ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ અને હૃદયરોગ થવાના કારણો અને દવા વગર જ આ રોગમાંથી મુક્તિ કેમ મેળવી શકાય તે અંગેની રસપ્રદ માહિતી રચનાત્મક ઉદાહરણો દ્વારા સમજાવવામાં આવશે. આ ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન જ‚રી હોય મો.૯૨૭૪૪ ૬૦૧૨૬, ૯૦૯૯૯ ૯૦૫૪૭ પર આપનું નામ નોંધાવવા જણાવાયું છે.

સેમીનાર બાદ ૩ દિવસની ‘સહજ ધ્યાન યોગ’ની પ્રેકટીકલ નિ:શુલ્ક શિબિરનું આયોજન ” વામકુક્ષી  ફાર્મ હાઉસમાં તા.૨૦ થી ૨૩ જુલાઈ દરમિયાન કરવામાં આવ્યું છે. જેની વધુ માહિતી માટે મો.૯૭૨૪૪ ૬૦૧૨૬, ૯૦૯૯૯ ૯૦૫૪૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.