Abtak Media Google News

જામનગર ભાજપા જીલ્લા-તાલુકા મંડલનાં આગેવાનો, કાર્યકર્તાઓ અને વડીલો, યુવાનો ઊમળકાભેર જોડાયા

રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જયંતીની ઉજવણીના ભાગરૂપે યાત્રાના ચોથા દિવસે સંસદસભ્ય  પૂનમબેન માડમના સંયોજન અને નેજા હેઠળ જામનગર જીલ્લાના જોડિયા ગામની હુન્નર શાળા ખાતેથી ગાંધીજીના જીવનમૂલ્યોને સુવાસની જેમ પ્રસરાવવા આયોજીત “ગાંધી સંકલ્પ યાત્રા” સ્વચ્છતા, પ્લાસ્ટિકનો વપરાશ અટકાવો જેવા દ્રઢ સંકલ્પ સાથે ઉત્સાહી નાગરિકો સાથે યાત્રા પ્રારંભ થઇ હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી અન્વયે આયોજીત “ગાંધી સંકલ્પ યાત્રા” દરમિયાન જામનગર જીલ્લાના જોડિયા ગામમાં હુન્નર શાળા ખાતે દેશના ભાવિ એવા તેજસ્વી વિધાર્થીઓ, ઉત્સાહી નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સ્વચ્છતા માટે જાગૃતતા કેળવી આ પહેલને સફળ બનાવવા અને દેશને સ્વચ્છતાથી સજાવવા શપથ લેવાયા હતા

Img 20191008 Wa0003

સાંસદ પૂનમબેને જણાવ્યુ હતુ કે ગાંધીજીના સિદ્ધાંતોને સમગ્ર વિશ્વએ અપનાવ્યા છે અને વૈશ્વીક પ્રગતિ માટે પૂજ્ય ગાંધીજીના જીવન મુલ્યો વિચારમુલ્યો અપનાવવા આવશ્યક છે એ આપણા રાષ્ટ્રનુ ગૌરવ કહેવાય એટલુંજ નહી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે રાષ્ટ્રભરમા પૂજ્ય ગાંધીજીના સ્વચ્છતા, સમાનતા, સમરસતા સહિતના દરેક મુલ્યોને જન જન સુધી પહોંચાડવા વડાપ્રધાન થયા ત્યારથી ભગીરથ પ્રયાસો કર્યા છે માટે આ ગાંધી સંકલ્પ યાત્રા ખુબ ઉપયોગી બની રહેશે તેમપણ ઉમેર્યુ હતુ તેમજ સાંસદ પૂનમબેને “ગાંધી સંકલ્પ યાત્રા” અંતર્ગત આજરોજ જામનગર જીલ્લાના જોડિયા ખાતે પ્રકૃતિને સ્વચ્છ રાખતા વૃક્ષોનું રોપણ કરી, નાગરિકોને પ્રકૃતિનું સંવર્ધન કરવાં આહવાન કર્યું હતું. સમગ્ર યાત્રામા ૧૨-જામનગર લોકસભા વિસ્તારના જામનગર જિલ્લા તાલુકા મંડલ ભાજપ પરિવારના આગેવાનો, કાર્યકર્તાઓ,તેમજ વડીલો, યુવાનો, બહેનો, બાળાઓ સહિત સૌ ગ્રામજનો ઉમળકાભેર જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.