Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીસીડીસી અને શિક્ષણ વિદ્યાશાખાના ઉપક્રમે પ્રવર્તમાન પ્રવાહો અને સામાન્ય જ્ઞાન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી વિષય પર કાર્યશાળા યોજાઈ

શિક્ષણ વિદ્યાશાખા, કેરીયર કાઉન્સેલીંગ સેલ અને કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે જુલાઈ માસમાં યોજાનાર ટાટ-૧ અને ૨ની પરીક્ષાનાં છાત્રો અને જીપીએસસી વર્ગ-૧ અને ૨ની પરીક્ષાની તૈયારી કરતા છાત્રો માટે પરીક્ષામાં સફળ થવા જ‚રી પ્રવર્તમાન પ્રવાહો-સામાન્યજ્ઞાન વિષયક નિ:શુલ્ક કાર્યશાળાનું આયોજન કરાયેલ. જેમાં યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતા અને તજજ્ઞ પાર્થભાઈ સોરઠીયાએ ભાગ લેના ૪૫૦ જેટલા છાત્રોને સફળ થવા કઈ રીતે પ્રવર્તમાન પ્રવાહોનાં માધ્યમથી તૈયારી કરી શકાય તે અંગે ચાર કલાકનું માર્ગદર્શન આપેલ હતું. આ કાર્યશાળાનાં ઉદઘાટન સમયમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે, શિક્ષણ વિદ્યાશાખાનાં ડીન પ્રો.નિદતભાઈ બારોટ, સ્પીપાનાં ડેપ્યુટી ડાયરેકટર એમ.એસ.કોઠારી, સિન્ડીકેટ સદસ્ય ધરમભાઈ કાંબલીયા, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયા, ભૌતિકશાસ્ત્ર ભવનનાં પ્રોફેસર સીસીડીસી નિયામક પ્રો.નિકેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહેલ હતા. સીસીડીસીના નિયામકે કાર્યશાળાની પૂર્વભૂમિકામાં જણાવેલ કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થવા ‘ન્યુઝ પેપર્સ’નું ઝીણવટપૂર્વકના વાંચન મારફત સામાન્ય જ્ઞાનનાં વિવિધ મુદાઓ સાથે સંકલિત કરી સ્માર્ટ તૈયારી કરી શકાય તે માટે નવતર પ્રયોગ‚પ કાર્યાશાળાનું આયોજન કરાયેલ છે.

પ્રાસંગિક ઉદબોધન કરતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવેએ જણાવેલ કે, સીસીડીસીનાં માધ્યમથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને શિક્ષણ વિદ્યાશાખા મારફત નવતર પ્રયોગો કરી સૌરાષ્ટ્રનાં છાત્રોને સરકારી નોકરી માટે તૈયાર કરવાનો ‘યજ્ઞ’ અભિનંદનીય છે અને ટીમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌરાષ્ટ્ર વિસ્તારનાં છાત્રોને નિષ્ણાંત તજજ્ઞ મારફત તાલીમ આપવા પ્રયત્નશીલ છે. શિક્ષણ વિદ્યાશાખાનાં ડીન પ્રો.નિદતભાઈ બારોટે વિદ્યાર્થીઓને સફળતા મેળવી સરકારી નોકરી મેળવવા સ્વયંને કેવી રીતે તૈયાર કરી શકાય ? તે માટેના ઈંગ્નીશન સુત્રોથી તેમના પ્રવચનમાં પ્રોત્સાહિત કરેલ હતા. સ્પીપાનાં ડેપ્યુટી ડાયરેકટર એમ.એસ.કોઠારીએ જણાવેલ કે, છેલ્લા દોઢ વર્ષથી તેઓ સીસીડીસીના કાર્યક્રમોથી પરિચિત છે અને સીસીડીસીએ સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ માટેનું પરીણામલક્ષી બ્રાન્ડ કેન્દ્ર તરીકે ઓળખાણ પ્રસ્થાપિત કરી શકેલ છે ત્યારે યુપીએસસી અને કેન્દ્ર સરકારની તૈયારીઓ માટે સ્પીપા અને સીસીડીસીનાં સંયુકત ઉપક્રમે આગામી દિવસોમાં કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે અને કોઠારીએ જણાવેલ કે, સ્પીપા અને સીસીડીસી-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એમ.ઓ.યુ. કરી વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળ બનાવવા કાર્યક્રમો આપે તે માટે યુનિવર્સિટીને સુચન કરેલ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વ સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભાલાણી, સોનલબેન નિમ્બાર્ક, આશીષભાઈ કાકડીયા, હીરાબેન કિડીયા, કાંતિભાઈ જાડેજા વિગેરે જહેમત ઉઠાવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.