Abtak Media Google News

પોલીસે મૃતદેહ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડી હત્યારાઓની શોધખોળ હાથધરી

અબતક મનું કવાડ ગીર ગઢડા

Advertisement

ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલી મચ્છુ નદીના કાઠે એક યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડી હત્યારાઓની શોધખોળ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે મચ્છુ નદીના કિનારે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પીએસઆઈ જગદીશ ડાંગર સહિતની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક દ્રોણ ગામનો મનસુખ કેશુભાઈ સાંખડ નામનો 25 વર્ષનો યુવાન હોવાનુ જાણવા મળ્યું હતું. જ્યારે આ યુવાનને મોતને ઘાટ ઉતારી અજાણ્યા શખ્સો લાશને નદી કિનારે ફેંકી ગયાનું પણ ખુલ્યું હતું.

પોલીસે બનાવનો ચોક્કસ સમયગાળો અને મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને જામનગર ફોરેન્સિક પીએમ માટે મોકલી આગળની તપાસ હાથધરી છે. પોલીસે બનાવની નોંધ કરી યુવાનના હત્યારાઓને શોધવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.