દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારની સાથો સાથ સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી તેમનું યોગદાન આપી રહી છે. જેના ભાગરૂપે વેરાવળ પંજાબ નેશનલ બેન્ક્ર દ્રારા નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મદદરૂપ થવા વહીવટી તંત્રના વડા કલેકટર અજયપ્રકાશને ૬૫૦ લીટર સેનેટાઈઝ, ૭૧૦૦ માસ્ક અને ૧૦ થર્મલ ગન આપવામાં આવી હતી. જે સામગ્રી જિલ્લા પંચાયત આરોગ્ય શાખાને ફાળવવામાં આવી હતી. આરોગ્ય શાખા દ્રારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સેનેટાઇઝ, માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રસંગે આરોગ્ય વિભાગના ડી.ક્યુ. એ. એમ.ઓ.ડો.બામરોટીયા, ડી. પી. ઓ.નરેન્દ્ર મકવાણા, પંજાબ નેશનલ બેન્કના બ્રાંચ મેનેજર વિકાસ બારીક તથા સ્ટાફ સહભાગી થયો હતો.
Trending
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક
- રાજસ્થાનના આ ‘વિચિત્ર’ લગ્નની દેશ-દુનિયામાં થઈ રહી છે ચર્ચા
- હાર્ટ એટેકનો કાળો કહેર: 24 કલાકમાં છ વ્યક્તિને ભરખી ગયો
- રાજકોટ: ધરમનગર ક્વાર્ટરના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત
- રાજ્યભરમાં આજથી ચાર દિવસ હિટવેવની આગાહી