Abtak Media Google News

ગીર સોમનાથ સમાચાર

ગીર સોમનાથના કોડીનાર માર્કેટિંગ યાર્ડમાં મબલખ પ્રમાણમાં મગફળીની આવક થતા બે દિવસ માટે મગફળીની આવક પર યાર્ડ દ્વારા રોક લગાવાયો છે.ગીર વિસ્તારમાં ચોમાસાનો મુખ્ય પાક ગણાતી મગફળીનું મબલખ પ્રમાણ માં ઉત્પાદન થયું છે. દિવાળીના તહેવારના કારણે ખેડૂતો દ્વારા પુષ્કળ પ્રમાણમાં મગફળી માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે લાવતા આખરે યાર્ડના સતાધીશો દ્વારા એક પત્ર જાહેર કરી ખેડૂતોને મગફળી ન લાવવા અપીલ કરવામાં આવી છે. કોડીનાર માર્કેટિંગ યાર્ડ દ્વારા બંધ સુગર મિલના ગ્રાઉન્ડ ખાતે મગફળીની હરાજી શરૂ કરવામાં આવી હતી.

અતુલ કોટેચા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.