Abtak Media Google News

ગીર સોમનાથ સમાચાર

ભારતમાંથી અમૂર્ત સાંસ્કૃતિક વારસો (ICH) તરીકે ‘ગુજરાતના ગરબા’નું નામાંકન યુનેસ્કોની માનવતાની પ્રતિનિધિ યાદીમાં અમૂર્તની સુરક્ષા માટેની આંતર-સરકારી સમિતિના અઢારમા સત્રમાં અંકિત થયું છે. ગુજરાત ગરબાની ભૂમિ હોવાને કારણે અને યુનેસ્કો શિલાલેખને રાષ્ટ્રીય ગૌરવની બાબત ગણતા રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, ગીર સોમનાથ દ્વારા આ માઈલસ્ટોનની ઉજવણી કરતાં શ્રી રામ મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછારના અધ્યક્ષસ્થાને “ગુજરાતનો ગરબો” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સર્વેએ જીવંત કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.Whatsapp Image 2023 12 07 At 10.04.41 30Bcd724

આ તકે, જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વઢવાણિયાએ જણાવ્યું હતું કે, ગરબા એ ગુજરાતની પુરાતન સંસ્કૃતિ છે. ગરબો એ ગુજરાતીઓની રગોરગમાં વણાયેલો છે. નૃત્ય અને ઉમંગનો આ તહેવાર સમગ્ર વિશ્વમાં લાંબા ચાલતા તહેવાર તરીકે જાણીતો છે. જેને યુનેસ્કોએ આ એક નવી ઓળખ આપી છે. વિશ્વભરમાં વસેલા ગુજરાતીઓ માટે આ ગૌરવવંતી ક્ષણ છે.Whatsapp Image 2023 12 07 At 10.04.41 48212D7E

આ તકે, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી એચ.ડી.મકવાણાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. “અમૂર્ત સાંસ્કૃતિક વારસા” તરીકે “ગુજરાતનો ગરબો” કાર્યક્રમમાં મોડેલ સ્કૂલ ઈણાજ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાને સમર્પિત ‘ઘમર ઘમર મારૂ વલોણું’ રાસ તેમજ કચ્છી પરંપરાના ગરબાની પ્રસ્તુતી કરી હતી. ઉપરાંત પીટીસી કોલેજ પ્રભાસ પાટણ દ્વારા ‘મન મોર બની થનગાટ કરે’ પર પરંપરાગત ગરબાની અને મહાદેવ ગૃપ દ્વારા ‘રાસડો જામ્યો’ની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.Whatsapp Image 2023 12 07 At 10.04.41 40A30943

નૃત્યના સ્વરૂપ તરીકે ગરબા ધાર્મિક વિધિઓ અને ભક્તિના મૂળમાં ઊંડે સુધી પથરાયેલા છે.

નવી પેઢી ગરબાનું સાંસ્કૃતિક, સામાજિક અને વૈજ્ઞાનિક મહત્વ સમજે, ગુજરાતની આપણી આ અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું જતન અને સંવર્ધન થાય તેવા શુભ આશયથી “ગુજરાતના ગરબા”ની ઉજવણી કાર્યક્રમમાં પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અશ્વીનભાઈ સોલંકી, અગ્રણી શ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, સોમનાથ ટ્રસ્ટ પ્રતિનિધિ શ્રી અજયભાઈ દુબે સહિત અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રીઓ સહિત ગીર સોમનાથવાસીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.