Abtak Media Google News

બે પ્રાધ્ચાપકોને  પીએ.ડી.ની પદવી એનાયત

દર વરસે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિમાં પદવીદાન સમારંભ યોજાતો હોય છે. જેમાં સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠામ એસજીવીપી સંચાલિત દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમાર જાની રવિ સમગ્ર સોમનાથ સંસ્કૃત યુનિમાં.શાસ્ત્રી કક્ષામાં સર્વ પ્રથમ અને  નિરંજનદાસજી સ્વામી  શાસ્ત્રી કક્ષામાં યુનિ.દ્વિતીય આવતા મહામહિમ ગુજરાત રાજ્યપાલ કોહલીના હસ્તે અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવેલ.

તદ્ ઉપરાંત દર્શનમ મહાવિદ્યાલયના પ્રાધ્યાપક હાર્દિકભાઇ જોષી અને સુભાષભાઇ વસોયાએ સંસ્કૃત ભાષામાં મહાનિબંધ રજુ કરતા રાજ્યપાલ કોહલીના વરદ હસ્તે બેયને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી. ઉપરાંત નિરંજનદાસજી સ્વામીને શાસ્ત્રી કક્ષાએ સ્વામિનારાયણ વેદાન્તમાં પ્રથમ, જાની રવિ શાસ્ત્રી કક્ષાએ વ્યાકરણમાં પ્રથમ અને રાજ્યગુરુ જયદેવ શાસ્ત્રી કક્ષાએ ન્યાય શાસ્ત્રમાં પ્રથમ આવતા રાજ્યપાલ કોહલીના ત્રણેયને ગોલ્ડ મેડલ અર્પણ કરવામાં આવેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.