Abtak Media Google News

ગોંડલના વોરાકોટડા રોડ પર રામ મંદિર પાસે રહેતાં ગોરધનભાઇ લાલજીભાઇ પટોળીયા (ઉ.વ.70) નામના વૃધ્ધનું તાપણાથી દાઝી જતાં મોત નિપજ્યું છે.

વોરાકોટડા રોડ પર રહેતાં ગોરધનભાઇ પટોળીયાએ થોડા દિવસ પહેલા ઘરે એકલા હતાં ત્યારે ઠંડી ચડતાં તેમણે બકડીયામાં તાપણુ કરી પોતાના ખાટલા નીચે રાખ્યું હતું. આગને કારણે ખાટલો સળગતાં તેઓ દાઝી ગયા હતાં.ગોંડલ આઠેક દિવસ સારવાર અપાવાયા બાદ તા. 6ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના તોફિકભાઇ જૂણાયે ગોંડલ પોલીસને જાણ કરી હતી. ગોરધનભાઇ ત્રણ બહેન અને ચાર ભાઇમાં બીજા હતાં અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં એક પુત્રી તથા બે પુત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.