Abtak Media Google News

પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.ની  ૮૮ વર્ષની ઉંમર, ૭૨ વર્ષનો સુદીર્ઘ સંયમ પર્યાય, એક લાખ કિલોમીટરનો વિહાર કરી જિન શાસનની જબરદસ્ત પ્રભાવના કરી રહ્યાં છે

ગોંડલ સંપ્રદાયના વરિષ્ઠા,શ્રમણી શ્રેષ્ઠા,ચારિત્ર જયેષ્ઠા પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.નો ૮૮ મો જન્મોત્સવ રવિવાર તા.૨૨/૯/૧૯ ના વલસાડ મગોદ,પ્રાણધામની પૂણ્ય ભૂમિ ઉપર તપ ત્યાગપૂવેક ઉજવાશે.

રાણપૂર સોરઠ નિવાસી ધમોનુરાગી જયાચંદભાઈ ચોવટીયા તથા રત્નકુક્ષિણી અનશન આરાધિકા માતુશ્રી ગંગા મૈયાની કૂખે વિ.સં.૧૯૮૮ શ્રાવણ વદ પાંચમના તેઓનો જન્મ થયો.

સૌરાષ્ટ્ર કેસરી પૂ.ગુરુદેવ પ્રાણલાલજી મ.સા. એવમ ગુરુણી મૈયા પૂ.મોતીબાઈ મ.સ.એ પાંચ વષેની બાલિકાને કહ્યું કે ચાલો.  હવે સ્વના આત્માની ચોવટ કરીએ. ચોવટીયા પરિવારે સહષે સ્વીકૃતિ આપી. જ્ઞાનાભ્યાસ ચાલુ કર્યો. ૨૨ – ૪ – ૧૯૪૮ના શુભ દિવસે પંદર વષેની વયે તેઓએ સાવરકુંડલાની સોનેરી ધરા ઉપર પૂ.ગુરુ પ્રાણના શ્રી મુખેથી “કરેમિ ભંતેનો પાઠ ભણી,ગુરુણી મૈયા પૂ.મોતીબાઈ મ.સ.નું અણમોલ મોતી બનવા પુરુષાથેશીલ બન્યાં. એ સમયે એક સાથે ત્રણ દીક્ષા થયેલ.સંયમ ધમે અંગીકાર કરી જ્ઞાનની સાથે સેવા – વૈયાવચ્ચને તેઓએ પોતાનો પ્રાણ બનાવ્યો.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.એ બગસરાથી લઈને બનારસ, વડીયાથી લઈને વિલે પાર્લા, કાલાવડથી લઈને કોલકત્તા અને રાજકોટથી લઈને રાયપૂર સુધીના વિવિધ ક્ષેત્રોમાં ચાતુર્માસ કરી જિન શાસનની જબરદસ્ત શાસન પ્રભાવના કરી. તેઓ છેક નેપાળ, કાઠમંડુ સુધી પણ વિચરણ કરેલું છે. જે ભૂમિ ઉપર ૨૦ – ૨૦ તીર્થકર પરમાત્માઓ નિવોણ પામ્યા છે,એ પાવન અને પવિત્ર ભૂમિ ઉપર પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.એ પાંચ – પાંચ વખત સમેત્ત શિખરજી ક્ષેત્રની સ્પશેના કરેલ છે. સૌરાષ્ટ્રની પૂનિત ભૂમિ પાલિતાણા હોય કે જુનાગઢ દરેક ક્ષેત્રોમાં તેઓએ વિચરણ કરેલું છે. છેલ્લા થોડા વર્ષોથી તેઓ નાદુરસ્ત આરોગ્યને કારણે વલસાડ પાસે મગોદ પ્રાણધામ ખાતે સ્થિરવાસ બીરાજમાન છે. પ્રાણધામની પાવન ભૂમિ ઉપર સ્થાનકવાસી તેમજ મૂર્તિપૂજક સમુદાય પૂ.સંત – સતિજીઓનું આવાગમન પણ રહે છે. તેઓની ઉંમર ૮૮ વર્ષ તેમાં ૭૨ વર્ષનો સુદીઘે સંયમ પર્યાય અને જયાં સુધી પૂજ્યશ્રીને શરીરે સાથ આપ્યો ત્યાં સુધી લાખો કિલોમીટરનો પગપાળા વિહાર કરી ગોંડલ સંપ્રદાયની આન, બાન, શાન વધારી. તેઓએ પાંચ – પાંચ વખત વર્ષીતપની આરાધના કરી પ્રભુ આદીનાથે કંડારેલ તપ ધર્મની જયોતને જલતી રાખી.

રાજકોટ સરદારનગર શ્રી સંઘમાં ૧૯૯૨ના સમૂહ ચાતુર્માસમાં પૂ.ભાગ્યવંતાજી મ.સ.ના અનશન સમયે તેઓની પ્રેરક ઉપસ્થિતિ હતી. રાજકોટ રોયલપાકે સ્થા.જૈન મોટા સંઘમાં ૧૯૯૯ માં પૂ.પિયુષમુનિ મ.સા.એવમ પૂ.પ્રિયલબાઈ મ.સ.ની દીક્ષા મહોત્સવ અવસરે ગુરુણી મૈયા પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.નો ઉત્સાહ અવિસ્મરણીય એવમ્ અદ્ગિતીય હતો.તેઓ કહેતા કે સંસારીના ત્યાં પૂત્ર કે પૂત્રીનો જન્મ થાય તો તેઓના પરિવારજનોને ખૂશી થાય.જયારે કોઈ આત્માઓ દીક્ષા અંગીકાર કરે એટલે એવું કહેવાય છે કે છકાયના જીવો સાથે પંચ મહાવ્રતધારીઓ પણ પ્રસન્નતાની અનુભૂતિ કરે.

આગામી શનિ અને રવિવારે પૂ.પ્રાણકુંવરબાઈ મ.સ.નો ૮૮ મો જન્મોત્સવ,પૂ.પ્રજ્ઞાબાઈ મ.સ.ની ૫૦ મી સૂવણે દીક્ષા જયંતિ તથા શામકુંવરબેન ચીમનલાલ દોશી હસ્તે અ.સૌ.તનુજાબેન ગુણવંતરાય દોશી પૌષધશાળાનું ઉદ્દઘાટન છે. ત્રિવેણી સંગમ કાર્યક્રમ અવસરે પ્રાણધામ મગોદ, વલસાડ ખાતે સ્વામી વાત્સલ્ય સહિત અનેક આયોજનો કરેલા છે. ભાવિકોને લાભ લેવા નમ્ર અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.