Abtak Media Google News

દેશના દોઢ કરોડ રોકાણકારોએ ગત એક વર્ષમાં રોકાણ કર્યું હતું .

સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટો કરન્સીમા રોકાણ કરનારાઓની સંખ્યામાં અડદ વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં આ ડિજિટલ કરન્સી માં જે લોકો રોકાણ કરી રહ્યા છે તેમને વળતર પણ એટલું જ સારું મળે છે પરંતુ સૌથી મોટી ચિંતા ની વાત તો એ છે કે આ ડિજિટલ કરન્સી મા રોકાણ  કરનાર રોકાણકારોને રિસ્ક પણ એટલું જ રહેતું હોય છે. આ તકે જોબ સરકાર યોગ્ય નીતિ નિયમોને અમલી નહીં બનાવે તો ડિજિટલ કરન્સી નો વ્યાપ દિનપ્રતિદિન વધી જશે અને તેના ઉપર જે નિયંત્રણ રાખવામાં આવવું જોઈએ તે પણ નહીં જોવા મળે.

Advertisement

બીજી તરફ આંકડાકીય માહિતી અનુસાર ચાલુ વર્ષમાં ડિજિટલ કરન્સી એટલે કે ક્રિપટો એ તેના રોકાણકારોને ૫૧,૦૦૦ ટકાનું વળતર ચુકવ્યું છે જે સૌથી મોટી વાત કહી શકાય સામે ગંભીરતા એ પણ છે કે જે લાલચું લોકો હોય અને ઝડપથી જમાવવા માંગતા હોય તેઓનું રોકાણ કરવાનું પ્રમાણ સૌથી વધુ થઈ જશે. પરિણામે ઘણા ખરા ગુના પણ આચરવામાં આવી શકે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ડિજિટલ કરન્સી મા એ છે કે આ વાંચીને શાહરૂખ કહી શકાય કે ખરાબ કહી શકાય. આ મુદ્દા અંગે સંસદના શિયાળુ સત્રમાં જે નિર્ધારિત સમયે બિલ રજૂ કરવામાં આવવાનું હતું તે પણ થઈ શક્યું નથી.

આવી જ રીતે ભારતના આશરે દોઢ કરોડ લોકોએ ચાલુ વર્ષ માં ડિજિટલ કરન્સી મા રોકાણ કર્યું છે પરંતુ આ લોકોનું ગાંડપણ કે ઘેલછા તે આવનારા સમયમાં જ ખ્યાલ આવશે. હજુ પણ દિનપ્રતિદિન ક્રિપટોકરન્સી મા લોકો નું રોકાણ સતત વધી રહ્યું છે અને રોકાણકારોની સંખ્યા પણ ખૂબ વધે છે સામે સમગ્ર વિશ્વમાં ક્રિપટો ઉપર કોઈપણ નિયંત્રણ કે બાદ ન હોવાના કારણે ઘણા ખરા પ્રશ્નો આવનારા સમયમાં ઉદભવી થાય તો નવાઈ નહીં જેના માટે સરકારે યોગ્ય નીતિ નિયમોને હળવા ખૂબ જ જરૂરી છે અને તે દિશામાં આગળ વધવું એટલું જ મહત્વનું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.