Abtak Media Google News

લોકશાહી માટે ખતરનાક ગણાવતી આપ

કેન્દ્ર દ્વારા ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની અન્ય રાજકીય પાર્ટીઓને તેમના પાછળ વિદેશી રોકાણ હોય તો જાહેર કરવા જણાવવામાં આવ્યું છે. દેશના ગૃહમંત્રાલય દ્વારા આ તમામ પાર્ટીઓને વ્યકિતગત રીતે તેમની પાછળના રોકાણો ખાસ કરીને વિદેશી રોકાણોને જાહેર કરવા કાયદેસર રીતે જાણ કરવામાં આવી છે.

Advertisement

સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પુછપરછ એ રોજીંદી પ્રક્રિયા જ છે દર વર્ષે આ પ્રશ્ર્નોને ફોરેઈન કોન્ટ્રીબ્યુશ રેગ્યુલેશન એકટ (એફ.સી.આર.એ.) અંતર્ગત પુછવામાં આવતા જ હોય છે. મંત્રાલય દ્વારા એ બાબત સ્પષ્ટ જણાવવામાં આવી છે કે આ કોઈ ‘શો કોશ નોટીસ’ નથી. આ અંગે વધુ ત્યારબાદ જ જાહેર કરાશે જયારે રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રત્યુતર આપવામાં આવે.

આપને નોટિસ મળ્યા બાદ આપના નેતાઓએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે સરકાર આ પગલા દ્વારા ચોટ પહોંચાડવા માંગે છે જે લોકશાહી માટે ખતરનાક કહી શકાય. આ દેખીતી રીતે સરકારનો રાજકીય પેંતરો છે. આમ આદમી પાર્ટીના આ આક્ષેપને કેન્દ્રની તમામ એજન્સીઓએ નનૈયો ભણ્યો હતો કે આ કોઈ આમ આદમી પાર્ટી વિરુઘ્ધનું ષડયંત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.