Abtak Media Google News

આજરોજ રાજનગરી રાજકોટમાં ગોંડલ સંપ્રદાયનાં પૂ.સુશાંતમુનિ મ.સા., રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ, પૂ.પિયુષમુનિ મહારાજ સાહેબ આદિ ઠાણા સાથે વિરલ પ્રજ્ઞા પૂ.વિરલબાઈ મ., પૂ.ભદ્રાબાઈ મ., આદિ સતિવૃંદનો મંગલ પ્રવેશ થયો. જૈનમ ગ્રુપના સભ્યો દ્વારા તમામ સંતોનું ભવ્ય સ્વાગત માલવીયા ચોક ખાતે રંગબેરંગી પતાકાની વર્ષાથી સ્વાગત કરવામાં આવેલ હતું. જૈનમ્ ગ્રુપના જીતુ કોઠારી, સુજીત ઉદાણી, મયુર શાહ, જયેશ મહેતા, સેજલ કોઠારી, ચીરાગ દોશી, અમિત દોશી, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી, ઉપેન મોદી, નિલેશ શાહ, તરૂણ કોઠારી, ભરત દોશી, ઉદય ગાંધી, વૈભવ સંઘવી, રૂષભ શેઠ, હેમલ પારેખ, બીપીન ગાંધી સહિતના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્તિ રહ્યાં હતા.

જૈન સંઘના અગ્રણીઓ ચંદ્રકાંતભાઈ શેઠ, ડોલરભાઈ કોઠારી, મધુભાઈ ખંધાર, શીતલભાઈ બાટવીયા, પ્રવિણભાઈ કોઠારી, દિલેશભાઈ ભાલાણી, કિરીટભાઈ શેઠ, કશ્યપભાઈ શુકલ, જીતુભાઈ બેનાણી, શૈલેષભાઈ માંઉ સહિતનાં અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્તિ રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.