Abtak Media Google News

નાગલપુર કોલેજ પાસે બુધવારે બપોરે પૂર્વ કોર્પોરેટર ગફુરભાઇ દેસાઇના પુત્રનું બાઇક અડી જવાના મુદ્દે થયેલી બોલાચાલીએ મોટું સ્વરૂપ ધારણ કર્યુ હતું. જાહેર માર્ગો પર ખુલ્લી તલવારો, ધારિયા સાથે સામસામે આવી ગયેલા બે જૂથો વચ્ચે વાળીનાથ ચોકથી રામજી મંદિર વચ્ચે થયેલા પથ્થરમારાએ તંગદિલી સર્જી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ 3 વાહનો અને કેબિનને આગ ચાંપી હતી, જ્યારે 3 કેબિનો તોડી હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ 15થી વધુને ડિટેઇન કર્યા હતા. જ્યારે હુમલામાં ઇજાગ્રસ્તે કોર્પોરેટર પુત્ર સહિત 2 વ્યક્તિઓને ઇજા થઇ હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ 11 શખસો સામે ફરિયાદ નોંધાઇ છે.1 કેબિન અને 3 વાહનોને ટોળાએ આગ ચાંપી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.