Abtak Media Google News

અબતકની મુલાકાતમાં આયોજકોએ આપી કાર્યક્રમની રૂપરેખા

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વસતા બાલંભા, માનપર અને રણજીત નગરના ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સંગઠનનું બીજું સ્નેહમિલન પાંચ માર્ચ રવિવારે સાંજે 5:00 વાગે નવજીવન પાર્ટી પ્લોટ આરપીએસ સ્કૂલ સામે નાના મવા રાજકોટ ખાતે યોજાશે અબ તકની મુલાકાતમાં આયોજક આગેવાન હિતેશભાઈ રાઠોડ ,મનોજભાઈ ગોગાણી, પુનિતભાઈ રાઘવાણી ,બકુલભાઈ ચોથાણી અને વૈભવ ભાઈ ચોટલીયા એ વિગત આપતા જણાવેલ કે કોરોના દરમિયાન ઊભી થયેલી સ્થિતિ હવે થાળી પડી છે ત્યારે જ્ઞાતિજનોનું બીજું સ્નેહમિલન નું આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે ,5 3 23 રવિવારે સાંજે 5:00 વાગે નવજીવન પાર્ટી પ્લોટ ખાતે યોજાનારા સ્નેહમિનલમાં સમાજનું સંગઠન વધુ મજબૂત બને અને લોકો એકબીજા સાથે પરિચય કેળવે, વતન પ્રેમ વધે ,તેમ જ ભવિષ્યમાં પરિવારના બાળકો માટે શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય તે માટેના સામૂહિક પરામર્સના ગ્રુપમાં યોજાનાર આ સ્નેહ મિલનમાં જ્ઞાતિના પરામર્સ બેઠક બાદ સમૂહ ભોજનનો જ્ઞાતિજનોને લાભ આપવામાં આવશે, આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ ના મુખ્ય મહેમાન પ્રદે યોજાનારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના પ્રમુખ  નરસિંહભાઈ સવાણી, બાબુભાઈ સોલંકી, અશ્વિનભાઈ ચોથાણી ,પુનિતભાઈ રાઘવાણી, સુરેશભાઈ ચોટલીયા ,રણછોડભાઈ ટાંક, હિતેશભાઈ રાઠોડ, નટુભાઈ રામપરિયા ,પરેશભાઈ ચોટલીયા, જયંતીલાલ ગાંગાણી વકીલ .જેમત ઉઠાવી રહ્યા છે આ કાર્યક્રમનો લાભ લેવા અને જ્ઞાતિ સંગઠનને વધુ મજબૂત બનાવવા જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા પ્રમુખ નરસિંહભાઈ મનજીભાઈ સવાણીએ આહવાન કર્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.