Abtak Media Google News

ગીર જંગલની વચ્ચે આવેલ ભગવાન શામ સુંદરનો ભવ્ય મંદિર તુલસીશ્યામ જ્યાં દર  વર્ષે ગુરુપૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.

આ વર્ષે કોરોનાવાયરસ ના કારણે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી મુલતવી રાખવામાં આવેલ હોવાનું ટ્રસ્ટી શ્રી પ્રતાપભાઇ વરૂ દ્વારા જણાવવામાં આવેલ છે. તેઓએ જણાવેલ છે કે હાલમાં કોરોના વાયરસ મહામારીને કારણે ગુરુપૂર્ણિમા ઉત્સવ ની ઉજવણી મુલતવી રાખેલ છે જેની સૌ ભક્તો અને સેવકો દ્વારા નોંધ લેવા જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.