Abtak Media Google News

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેનાથી સમગ્ર વિશ્વ ભયભીત થયેલું છે. આવા કપરા સમયમાં પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર ભાવનગરમાં છેલ્લા બે મહિનાથી દિવસ કે રાત જોયા વગર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીને રાષ્ટ્ર સેવામં એક અમુલ્ય યોગદાન આપનાર પુરુષ સમોવડી દીકરીએ રાજુલા શહેરનું નામ રોશન કરેલ છે. પાયલબેન હિંમતભાઈ જાલંધરા કે જેઓએ એમબી બીએસ કરેલ છે. રાજુલામાં પંચોળી આહિર સમાજના અગ્રણી અને અમરેલી જિલ્લાના રાજકારણમાં જેનું નામ આદર અને ગૌરવધી લેવાય છે તેવા બાબુભાઈ રણછોડભાઈ જાલંધરા પરિવારના છે. તેમની આ કામગીરી બદલ માત્ર પંચોળી આહિર સમાજ જ નહીં પરંતુ રાજુલા શહેરના દરેક બુદ્ધિજીવી વર્ગ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને અભિનંદન પાઠવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.