હર હર હર શિવ ઓમ નમ: શિવાય. હર હર હર શિવ, હર હર હર શિવ. શિવોહમ, શિવોહમ, જી હા, પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે રાજકોટ શહેરનાં નાના-મોટા સહુ શિવ મંદિરો શિવમય બની ગયા હતા. કેમ કે, સહુ કોઈ સ્પેશ્યલી શણગારાયેલા શિવલિંગના દર્શને દોડયા હતા. જાણે અમૃતનું ઝરણું વહેતુ હોય રાજકોટની રૈયત જેમ ખાવા પીવા માટે ‘કુખ્યાત’ છે તેટલી જ દાન ધરમ, ભકિતભાવ અને ધાર્મિક તહેવારોની ઉજવણી માટે પ્રખ્યાત પણ છે. શ્રાવણીયા સોમવારે જાગનાથ, પંચનાથ, ઈંદ્રેશ્ર્વર, ધારેશ્ર્વર, અમરનાથ, ભકિતધામ, કાશી વિશ્ર્વનાથ વિગેરે શિવ મંદિરોમાં આફ્રિકા કોલોનીમાં નિલકંઠ મહાદેવ મંદિરે ૧ લાખ ૨૫ હજાર ‚દ્રાક્ષનાં શિવલિંગ અને ૧૦૧ દીપ માળા આરતી કરાઈ હતી. ધારેશ્ર્વર મહાદેવ મંદિર (ભકિતનગર સર્કલ) ખાતે સંધ્યા આરતી ટાણે ભાવિકો શિવમય બની ગયા હતા. પંચનાથ અને જાગનાથ મંદિરે પણ લગભગ આવો જ માહોલ હતો. શ્રાવણમાં પૂણ્યની કમાણી કરવા લોકો વિવિધ બાધા આખડી રાખવા પણ મદિરે પહોચતા હોય છે. જેથી મનની મુરાદ જલ્દી પૂરી થાય.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી