રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીના માર્ગદર્શન હેઠળ આજે સવારે આરોગ્યશાખા અને ફૂડ શાખા દ્વારા કેનાલ રોડને લાગુ કેવડાવાડી વિસ્તારમાં આવેલ બાલાજી નમકીન પ્રોડકશન યુનિટમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. દરોડા દરમિયાન પ્રોડકશન યુનિટમાં સંગ્રહ કરાયેલો મિઠાઈ અને ફરસાણનો જથ્થો વાસી તેમજ અખાધ્ય હોવાનું તપાસનિષ અધિકારીઓને માલૂમ પડ્યું હતું. તેમજ મિઠાઈમાં જીવજંતુ, વંદા અને ઉંદર પણ જોવા મળ્યા હતા. ત્યારે આરોગ્ય શાખાના આધિકારી દ્વારા તાત્કાલિક આ યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે 170 કિલો મિઠાઈનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તેમજ મિઠાઈના નમૂના લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- મહારાષ્ટ્રમાં કોવિડ-19 સબ-વેરિયન્ટના 91 નવા કેસ નોંધાયા
- સુરત : હિન્દુ નેતાની હત્યાનું ષડયંત્ર રચનાર મૌલવી સાથે જોડાયેલા એકની ધરપકડ
- ઉત્કર્ષ સ્કુલનો જલવો: ધો.10 મા ઉત્કર્ષ પરિણામ
- નાસ્તા માટે પૌવામાંથી ઈડલી બનાવો અને પોષણનો ડબલ ડોઝ મેળવો
- કોટામાં એલન કેરિયર ઇન્સ્ટિટયૂટની “એલ્યુમની મીટ” યોજાઇ
- શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો
- વાળમાં હેર ડાઈ લગાવતા પહેલા આ જાણી લેજો
- આમલીનો આ ઉપાય તમારા પેટના દુખાવાને પળવારમાં દૂર કરી દેશે