રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીના માર્ગદર્શન હેઠળ આજે સવારે આરોગ્યશાખા અને ફૂડ શાખા દ્વારા કેનાલ રોડને લાગુ કેવડાવાડી વિસ્તારમાં આવેલ બાલાજી નમકીન પ્રોડકશન યુનિટમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. દરોડા દરમિયાન પ્રોડકશન યુનિટમાં સંગ્રહ કરાયેલો મિઠાઈ અને ફરસાણનો જથ્થો વાસી તેમજ અખાધ્ય હોવાનું તપાસનિષ અધિકારીઓને માલૂમ પડ્યું હતું. તેમજ મિઠાઈમાં જીવજંતુ, વંદા અને ઉંદર પણ જોવા મળ્યા હતા. ત્યારે આરોગ્ય શાખાના આધિકારી દ્વારા તાત્કાલિક આ યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે 170 કિલો મિઠાઈનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તેમજ મિઠાઈના નમૂના લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- વડાપ્રધાન મોદીએ ગુરૂદ્વારાના લંગરમાં રોટલી બનાવી ભાવિકોને પીરસી
- કોફી અને ક્રીમ પ્રેમીઓ માટે ટેસ્ટી કોફી આઈસ્ક્રીમ
- ચોથા તબક્કામાં 96 બેઠક ઉપર બપોર સુધીમાં 40.32% મતદાન
- શું તમે પણ ઉનાળામાં જમ્યા પછી લસ્સી પીઓ છો?
- સુરત : ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી સહિત એક સગીર ઝબ્બે
- પેકેજ્ડ ફૂડ પરના લેબલના ભ્રામક દાવા અંગે ICMRએ આપી ચેતવણી
- અમરેલી ભાજપમાં ફૂંફાડા મારતો જુથવાદ: હાઈકમાન્ડ માટે રેડ સિગ્નલ
- રાજસ્થાનને હરાવી ચેન્નાઇની પ્લે ઓફ તરફ આગેકૂચ