રાજકોટ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીના માર્ગદર્શન હેઠળ આજે સવારે આરોગ્યશાખા અને ફૂડ શાખા દ્વારા કેનાલ રોડને લાગુ કેવડાવાડી વિસ્તારમાં આવેલ બાલાજી નમકીન પ્રોડકશન યુનિટમાં દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. દરોડા દરમિયાન પ્રોડકશન યુનિટમાં સંગ્રહ કરાયેલો મિઠાઈ અને ફરસાણનો જથ્થો વાસી તેમજ અખાધ્ય હોવાનું તપાસનિષ અધિકારીઓને માલૂમ પડ્યું હતું. તેમજ મિઠાઈમાં જીવજંતુ, વંદા અને ઉંદર પણ જોવા મળ્યા હતા. ત્યારે આરોગ્ય શાખાના આધિકારી દ્વારા તાત્કાલિક આ યુનિટને સીલ કરી દેવામાં આવ્યું છે, સાથે 170 કિલો મિઠાઈનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તેમજ મિઠાઈના નમૂના લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- અંબાલાલની આગાહી સાચી ઠરી…રાજ્યમાં ઠેર ઠેર વરસાદની શરૂઆત
- તમે પણ આ ફળોને ફ્રિજમાં રાખવાની ભૂલ કરી રહ્યા છો..?
- આજના યુગમાં દુષ્કર્મ “ચિંતા” અને “ચિંતન”નો વિષય
- કોર્પોરેશનના સ્પે.સિટી એન્જિનિયર અલ્પના મિત્રાનું રાજીનામું
- ગ્લોબલ વોર્મિંગે હિટવેવની સાથે વરસાદની પેટર્નને પણ વધારી
- ચાબહાર પોર્ટ મેળવી ભારત એક કાંકરે અનેક લક્ષ્યો સિદ્ધ કરશે
- યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાના ભાઈનું સાયલા-ચોટીલા હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત
- વી.વી.પી. કોલેજ દ્વારા કારકીર્દી ઘડતર સેમિનારમાં અપાયું સચોટ માર્ગદર્શન