રાજકોટમાં સમસ્ત જૈન સમાજ દ્વારા આજથી બે દિવસ માટે મહાવીર સ્વામીની ૨૫૪૩મી જન્મ જયંતિની ઉજવણીનો ભવ્યારંભ કરવામાં આવ્યો છે. સ્થાનકવાસી મોટા સંઘ દ્વારા આજે સવારે પરંપરાગત પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા ત્રિકોણબાગથી વિરાણી પૌષધ સુધી પ્રભાત ફેરીમાં બહોળી સંખ્યામાં જૈન અગ્રણીઓ જોડાયા હતા આ તકે ‘અબતક’ના મેનેજીંગ ડિરેકટર અને જૈન અગ્રણી સતિષભાઈ મહેતા, ઈશ્ર્વરભાઈ દોશી, જયોતીન્દ્રભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, પ્રવિણભાઈ કોઠારી, અનીમેષભાઈ રૂપાણી, હરેશભાઈ વોરા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરીયા, ઈન્દ્રનીલભાઈ રાજયગુ‚, ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડે. મેયર દર્શીતાબેન શાહ, શહેરભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પૂર્વ પ્રમુખ નીતીનભાઈ ભારદ્વાજ, પ્રવાસન નિગમના ડીરેકટર માંધાતાસિંહ જાડેજા, ધનસુખભાઈ વોરા, નિલેશભાઈ શાહ, જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, પીયુષભાઈ મહેતા, કિશોરભાઈ કોરડીયા, મયુરભાઈ શાહ, રસીકભાઈ પારેખ, સીપી દલાલ અને ડોલરભાઈ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે સુશાંત મુની મહારાજ સાહેબે ધર્મ પ્રવચન પણ કર્યું હતુ.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર